#2GScam : મનમોહન સિંહે કહ્યું ખોટો પ્રચાર કરનારને મળ્યો જવાબ
2જી કૌભાંડ મામલે આજે વિશેષ અદાલતે જ્યાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. ત્યાં જ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આ મામલે પ્રતિક્રિયા આપી છે. જે અંગે વિતગવાર જાણો અહીં.
દેશના બહુચર્ચિત 2જી કૌભાંડમાં આજે ચુકાદો આવ્યો છે. વિશેષ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટના આ નિર્ણય પછી કોંગ્રેસીઓના ચહેરા ખુશ છે. વધુમાં કોર્ટના નિર્ણય પછી ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે એનડીએ પર પોતાનો નિશાનો સાંધ્યો છે. મનમોહન સિંહે કહ્યું કે આ તમામ આરોપ ખોટી નિયતથી લગાવવામાં આવ્યા હતા. આ નિર્ણય પોતાનામાં બધુ જ કહી દે છે. તેણે ખરાબ પ્રચાર કરનારને જવાબ આપ્યો છે. વધુમાં મનમોહન સિંહે કહ્યું કે 2Gને લઇને યુપીએની વિરુદ્ધ પ્રોપેગેંડા ફેલાવવામાં આવ્યો છે.

વધુમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આ નિર્ણય પછી ભાજપ પર પણ આક્ષેપ કર્યો છે. મનમોહન સિંહે કહ્યું કે કોર્ટે આ મામલે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. નોંધનીય છે કે આ 2જી કૌભાંડને ટેલિકોમ ક્ષેત્રનો સૌથી મોટો કૌભાંડ માનવામાં આવતો હતો. અને માનવામાં આવતું હતું કે આ કૌભાંડ દ્વારા દેશને 1 લાખ 76 હજાર કરોડ રૂપિયાનું નુક્શાન થયું છે. વધુમાં આ કૌભાંડ વર્ષ 2008માં થયું હતું જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર સત્તામાં હતી. 2010ના કેગના રિપોર્ટમાં આ અંગે ખુલાસો થયો હતો. અને આજે આ પર વિશેષ કોર્ટનો ચુકાદો બહાર આવ્યો છે. જેમાં પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
