Manipur Violence: મણિપુરમાં ઘર્ષણ, કાંગપોકપીમાં ચાર પોલીસકર્મીનું અપહરણ, બે આરોપીની ધરપકડ
Manipur Violence: મણિપૂર પોલીસ દ્વારા કાંગપોકપી પોલીસ સ્ટેશનમાં તૈનાત ચાર પોલીસકર્મીઓના અપહરણ અને તેમના પર હુમલો કરવાના આરોપમાં મૈતયી સંગઠન અરામબાઇ તેંગગોલ સાથે જોડાયેલા બે લોકોને રવિવારના રોજ ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે, શનિવારની રાત્રે ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં નેશનલ હાઇવે-2 પરથી ચાર પોલીસકર્મીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું, જ્યારે તેઓ ઇમ્ફાલથી કાંગપોકપી જઇ રહ્યા હતા.

અપહરણ કરવામાં આવેલા પોલીસકર્મીઓની ઓળખ રામ બહાદુર કાર્કી, રમેશ બુધાથોકી, મનોજ ખાટીવોડા અને મોહમ્મદ તાજ ખાન તરીકે થઈ છે.
અપહૃત પોલીસકર્મીઓને બચાવવા માટે ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન - પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપી તૈબાંગનબા સનોજામ અને મોઇરાંગથેમ બોબોની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.
અપહરણ કરવામાં આવેલા પોલીસકર્મીઓને છોડાવવા અને ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
કાંગપોકપી જિલ્લામાં 24 કલાકનો બંધ - આદિજાતિ સંગઠન સમિતિએ ચાર પોલીસકર્મીઓના અપહરણના વિરોધમાં રવિવારના રોજ કાંગપોકપી જિલ્લામાં 24 કલાકનો બંધ પાળ્યો હતો.












Click it and Unblock the Notifications
