તબરેજની હત્યાના વિરોધમાં માલેગાંવમાં ભેગા થયા એક લાખ મુસ્લિમ, એન્ટી મોબ લિંચિંગ કાયદાની માંગ
મહારાષ્ટ્રના માલેગાંવમાં પણ મોબ લિંચિંગની આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા.
ઝારખંડમાં એક મુસ્લિમ યુવક તબરેજ અનસારીને ચોરીની શંકામાં ભીડે વિજળીના પોલ સાથે બાંધીને એ રીતે પીટવામાં આવ્યો હતો કે તેનું હોસ્પિટલમાં જ ઈલાજ દરમિયાન મોત થઈ ગયુ હતુ. આ ઘટના બાદ દેશભરમાં ફરીથી એક વાર મોબ લિંચિંગ સામે અવાજો ઉઠવા લાગ્યા છે. મહારાષ્ટ્રના માલેગાંવમાં પણ મોબ લિંચિંગની આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા. સોમવારે 'શહીદોની યાદગાર' (શહીદ સ્મારક) પર એક લાખથી વધુ મુસ્લિમો મોબ લિંચિંગની આ ઘટનાના વિરોધમાં જમા થયા.

તબરેજની હત્યાના વિરોધમાં એક લાખ મુસ્લિમોએ કર્યુ પ્રદર્શન
આ એ જ જગ્યા છે જ્યાં અંગ્રેજોએ 97 વર્ષ પહેલા 7 સ્વતંત્રતા સેનાનિઓને ફાંસી પર લટકાવી દીધા હતા. આ જગ્યાએ લગભગ એક લાખથી વધુ મુસ્લિમ જમા થયા હતા. લિંચિંગના વિરોધમાં થયેલી આ રેલીને મુસ્લિમ સમાજે પહેલી રેલી ગણાવી. આ રેલીના આયોજકોનું કહેવુ છે કે ઝારખંડમાં થયેલી તબરેજ અંસારીની હત્યા ઘણી ભયાનક છે.

એંટી મોબ લિંચિંગ કાયદો લાવવાની માંગ
આ રેલીમાં આવેલા લોકોએ કહ્યુ કે તે બદલો નથી ઈચ્છતા અને ના કોઈ પ્રકારની હિંસામાં વિશ્વાસ કરે છે. લોકોએ કહ્યુ કે તે કાયદામાં વિશ્વાસ રાખે છે. તેમણે મોબ લિંચિંગ સામે કડક કાયદો લાવવાની માંગ કરી. તમને જણાવી દઈએ કે તબરેજને ભીડે ત્યારે નિશાન બનાવી હતી જ્યારે તે જમશેદપુરથી પોતાના ગામ પાછો આવી રહ્યો હતો.

ભીડે ચોરીની શંકામાં તબરેજની કરી હતી પિટાઈ
તે વખતે તબરેજને ઘાતકીડીહ ગામ પાસે ભીડે ચોરીની શંકામાં પકડી લીધો. ચોરીનો આરોપ લગાવીને ભીડે તબરેજ અંસારીને થાંભલા સાથે બાંધી દીધો અને ખરાબ રીતે પીટવાનો શરૂ કરી દીધો. પોલિસને સોંપતા પહેલા તેને લગભગ 18 કલાક સુધી લાઠી-ડંડાથી પીટવામાં આવ્યો. આરોપ છે કે આ દરમિયાન તબરેજને ભીડે જય શ્રીરામ અને જય હનુમાનના નારા લગાવવા માટે કહ્યુ અને આમ ન કરવા પર તેની જોરદાર પિટાઈ કરી. બાદમાં અંસારીની ચોરીના આરોપમાં પોલિસે ધરપકડ કરી લીધી હતી. વળી, ઘટનાના ચાર દિવસ બાદ પરવેઝ અંસારીની હોસ્પિટલમાં મોત થઈ ગયુ હતુ. આ કેસમાં બે પોલિસવાળાને સસ્પેન્ડ કરી દીધા હતા.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
