Maharastra Crisis: સુપ્રીમ કોર્ટે કહ્યું- ફ્લોર ટેસ્ટ જ સંકટનું સમાધાન, શિવસેનાએ શું કહ્યું?
મહારાષ્ટ્રમાં રાજનીતિનો ઊંટ કઈ બાજુ બેસી જશે? કદાચ આ પ્રશ્નનો જવાબ સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં રહેલો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનું ચિત્ર સ્પષ્ટ થશે. દરમિયાન, બુધવારે, મહારાષ્ટ્રમાં રા
મહારાષ્ટ્રમાં રાજનીતિનો ઊંટ કઈ બાજુ બેસી જશે? કદાચ આ પ્રશ્નનો જવાબ સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં રહેલો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનું ચિત્ર સ્પષ્ટ થશે. દરમિયાન, બુધવારે, મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને લગતી એક અરજીની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દ્વારા જ સંકટનો ઉકેલ લાવી શકાય છે. જણાવી દઈએ કે, બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ કરી રહેલા એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે ડઝનબંધ ધારાસભ્યોના બળવા પછી, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની મહા વિકાસ અઘાડી સરકાર લઘુમતીમાં છે. રાજ્યપાલ પહેલા જ ઉદ્ધવ ઠાકરેને બહુમત સાબિત કરવા માટે કહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ પર નજર ટકેલી છે.

સદનમાં તમામ સમસ્યાઓનું સમાધાન
દરમિયાન, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પક્ષે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિર્ણયની નિંદા કરી છે. મીડિયા અહેવાલો અનુસાર, ઠાકરે રાજ્યની તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેબિનેટની બેઠક યોજી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે શિવસેનાના નેતા એકનાથ શિંદેના બળવા બાદ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી ગઠબંધન સરકાર અસ્તિત્વના સંકટનો સામનો કરી રહી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, મહારાષ્ટ્રના રાજકારણને જટિલ બનાવતા તમામ મુદ્દાઓનું સમાધાન કરવાનો એકમાત્ર રસ્તો ગૃહમાં છે.

રાજ્યપાલે કહ્યું- બહુમત સાબિત કરે સીએમ
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે, જેમાં તેમણે મુખ્યમંત્રીને ગુરુવારે વિધાનસભામાં બહુમતી સાબિત કરવા કહ્યું છે. આ મામલે મહારાષ્ટ્ર સરકારનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી કરી રહ્યા છે. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી જસ્ટિસ જેબી પારડીવાલાની વેકેશન બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી છે. બેન્ચે કહ્યું કે, કોર્ટ ધારાસભ્યોની ગેરલાયકાતની અરજી પર અલગથી વિચાર કરશે.

જો ફ્લોર ટેસ્ટ ન હોય તો આબ નહી તુટી પડે
મહારાષ્ટ્ર સરકારના વકીલ સિંઘવી, શિવસેનાના ચીફ વ્હીપ સુનીલ પ્રભુ માટે હાજર થઈને, ફ્લોર ટેસ્ટના આદેશમાં રાજ્યપાલની 'સુપરસોનિક' ગતિ સામે ફરિયાદ કરી હતી. સિંઘવીએ કહ્યું કે NCPના બે ધારાસભ્યો કોવિડથી પીડિત છે, જ્યારે કોંગ્રેસના બે ધારાસભ્ય વિદેશમાં છે. "જો આવતીકાલે ફ્લોર ટેસ્ટ હાથ ધરવામાં નહીં આવે, તો આભ નહી તુટી પડે.

શિંદે જૂથની દલીલ - ફ્લોર ટેસ્ટ જલ્દી થવો જોઈએ
સિંઘવીએ કહ્યું કે સ્પીકરના હાથ બાંધીને ફ્લોર ટેસ્ટનો માર્ગ મોકળો કરવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે કાં તો સ્પીકરને ગેરલાયકાતની કાર્યવાહી નક્કી કરવાની મંજૂરી આપો અથવા ફ્લોર ટેસ્ટને મુલતવી રાખો. આના માટે, એકનાથ શિંદે જૂથ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ નીરજ કિશન કૌલે જણાવ્યું હતું કે અયોગ્યતાની કાર્યવાહી અથવા ધારાસભ્યોનું રાજીનામું ફ્લોર ટેસ્ટમાં વિલંબનું કારણ હોઈ શકે નહીં. તેમણે કહ્યું કે, અગાઉ સુપ્રીમ કોર્ટના નિર્ણયોમાં કહેવામાં આવ્યું છે કે ફ્લોર ટેસ્ટમાં કોઈ વિલંબ ન થવો જોઈએ.

ફ્લોર ટેસ્ટ પર સુપ્રીમ કોર્ટના પ્રશ્નો
ઈલેક્ટોરલ કોલેજ વિશે બોલતા સિંઘવીએ કહ્યું કે આ ઘોડાની આગળ ગાડી મૂકવા જેવું છે. તેમણે કહ્યું કે એકનાથ શિંદે કેમ્પ સામે અયોગ્યતાની કાર્યવાહીમાં સુપ્રીમ કોર્ટે હજુ સુધી તેનો ચુકાદો સંભળાવવો બાકી છે. સિંઘવીએ કહ્યું કે આ સમયે કોર્ટે નિર્ણય કરવાનો છે. તેમણે કહ્યું કે રાજ્યપાલે ફ્લોર ટેસ્ટનો આદેશ આપીને સુપ્રીમ કોર્ટની કાર્યવાહીમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો છે. આના પર, SCએ પૂછ્યું કે ફ્લોર ટેસ્ટનો આદેશ કેવી રીતે કોર્ટની કાર્યવાહીને નિરર્થક બનાવે છે? કોર્ટે પૂછ્યું કે શું ફ્લોર ટેસ્ટનો સમય નક્કી કરવા માટે કોઈ ન્યૂનતમ ટાઈમ ટેબલ છે.

લોકશાહીના મૂળ કપાશે
સિંઘવીએ કહ્યું કે જે વ્યક્તિને 21 જૂને પહેલાથી જ અયોગ્ય ઠેરવવામાં આવી છે તેને આવતીકાલે મતદાન કરવાની મંજૂરી આપી શકાતી નથી, આ કોર્ટે આવી સ્થિતિ ટાળવી જોઈએ. "તે કંઈક એવું થવા દેશે જે લોકશાહીના મૂળમાં કાપ મૂકે છે."

બંધારણની 10મી અનુસૂચિ પર સુપ્રીમ કોર્ટ
આના પર SCએ કહ્યું, ત્યાં અલગ-અલગ દૃશ્યો છે. જ્યારે સ્પીકરની પોતાની જાતને ગેરલાયક ઠેરવવાની સત્તાને પડકારવામાં આવે છે, ત્યારે શું ડિમ્ડ અયોગ્યતા હજુ પણ કામ કરશે? કોર્ટે કહ્યું કે તમામ એકમત છે કે લોકશાહીના હિતમાં 10મી અનુસૂચિ (ડિફેક્શન વિરોધી કાયદો)ના ઉદ્દેશ્યને મજબૂત બનાવવો જોઈએ. આ બાબતે કોઈ ઝઘડો નથી. દરેક વ્યક્તિ સહમત છે કે આ અદાલતે 10મી અનુસૂચિને મજબૂત બનાવવી જોઈએ.

અનિલ દેશમુખ અને નવાબ મલિક પર સુપ્રીમનો ચુકાદો
આના પર શિવસેનાના 34 બળવાખોર ધારાસભ્યો દ્વારા રાજ્યપાલને સુપરત કરવામાં આવેલા પત્રનો ઉલ્લેખ કરતા સિંઘવીએ કહ્યું, "સુપ્રીમ કોર્ટના નિર્ણયો મુજબ, તે પોતે જ રાજીનામું આપવા સમાન છે. તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટ જેલમાં બંધ NCP નેતાઓ અનિલ દેશમુખ અને નવાબની અરજી પર પણ આદેશ પસાર કરશે, જેથી તેમને ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
