Maharashtra: પોતાના ધારાસભ્યોને બચાવવામાં લાગી શિવસેના, બધાને હોટલમાં રોક્યા
શિવસેનાએ પોતાના ધારાસભ્યોને ખરીદ-વેચાણથી બચાવવા માટે થ્રી સ્ટાર હોટલમાં રોકી દીધા છે.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સંકટ વધી રહ્યુ છે. તમામ કોશિશો બાદ પણ ભાજપ અને શિવસેના વચ્ચે વાત બનતી દેખાઈ નથી રહી. સ્થિતિ એ છે કે શિવસેનાએ પોતાના ધારાસભ્યોને ખરીદ-વેચાણથી બચાવવા માટે થ્રી સ્ટાર હોટલમાં રોકી દીધા છે. આ બધા ધારાસભ્યોને મુંબઈ સ્થિત રંગ શારદા હોટલમાં રોકવામાં આવ્યા છે. શિવસેના હજુ પણ પોતાની વાત પર અડગ છે કે તે મુખ્યમંત્રી પદથી ઓછામાં સમજૂતી કરવા માટે તૈયાર નથી. પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે ચૂંટણી પહેલા થયેલી સમજૂતે નહિ તોડે.

આદિત્ય ઠાકરે મળવા પહોંચ્યા
તમામ ધારાસભ્યો સાથે મુલાકાત કરવા માટે આદિત્ય ઠાકરે રાતે હોટલ પહોંચ્યા જ્યાં તેમણે તમામ ધારાસભ્યો સાથે ખૂબ મોડે સુધી મુલાકાત કરી અને ત્યારબાદ તે હોટલની બહાર ગયા. વળી, ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે તે ભાજપ સાથે પોતાનુ ગઠબંધન તોડવા નથી ઈચ્છતા પરંતુ તેના પર નિર્ણય ભાજપે જ લેવાનો છે. ઠાકરેએ 50-50ની ફોર્મ્યુલાને પુનરાવર્તિત કરતા કહ્યુ કે અમારી વચ્ચે ચૂંટણી પહેલા આના પર સંમતિ થઈ હતી માટે આના પર અમલ થવો જોઈએ.
ધારાસભ્યોના ખરીદ-વેચાણનો આરોપ

ધારાસભ્યોના ખરીદ-વેચાણનો આરોપ
શિવસેનાના મુખપત્ર સામનામાં છપાયેલા સંપાદકીયમાં સેનાએ ભાજપ પર ધારાસભ્યોના ખરીદ-વેચાણનો આરોપ લગાવ્યો છે. સંપાદકીયમાં લખવામાં આવ્યુ છે કે જેમને ભાજપ કે હિંદુત્વ સાથે કોઈ લેવાદેવા નથી તે ધારાસભ્યો સાથે થેલીની ભાષામાં વાત કરી રહ્યા છે એ રીતની ફરિયાદો સામે આવી રહી છે. વળી, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના ઘરે જ તમામ ધારાસભ્યો સાથે મુલાકાત કરી. મહત્વની વાત એ છે કે ભાજપના નેતાઓએ ગુરુવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી પરંતુ સરકાર બનાવવાવો દાવો રજૂ ન કર્યો. ઉલ્લેખનીય છે કે શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે.

રાજ્યપાલ લઈ રહ્યા છે કાયદાકીય-બંધારણીય સલાહ
વળી, મહારાષ્ટ્રાં ઘેરાતુ જતુ રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલ પણ બંધારણીય વિકલ્પો પર સૂચનો લઈ રહ્યા છે. ગુરુવારે રાજ્યપાલ બીએસ કોશ્યાલીએ રાજ્યના વકીલ આશુતોષ કુંભાકોની સાથે મુલાકાત કરી એઅને તેમની સાથે કાયદાકીય તેમજ બંધારણીય ચર્ચા કરી. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 288 સીટો છે. જેમાંથી 105 સીટો પર ભાજપને જીત મળી છે જ્યારે શિવસેનાને 56 સીટો પર જીત મળી છે. રાજ્યમાં પૂર્ણ બહુમતનો આંકડો 145નો છેકે જે કોઈ પણ પક્ષને મળી શક્યો નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
