મહારાષ્ટ્ર સરકાર રચનાઃ શિવસેના ન માની તો એનસીપીનો કરી શકે છે સંપર્કઃ વરિષ્ઠ ભાજપ નેતા
એક તરફ જ્યાં શિવસેના દાવો કરી રહી હતી કે તેની પાસે 170 ધારાસભ્યોનુ સમર્થન છે અને તે અન્ય દળો સાથે પણ સંપર્કમાં છે તો ત્યારબાદ હવે ભાજપના નેતા તરફથી મોટુ નિવેદન સામે આવ્યુ છે.
મહારાષ્ટ્રમા સરકારની રચના માટે ચાલી રહેલ ઉથલપાથલમાં રોજેરોજ નવી ઉલટફેર થઈ રહી છે. ભાજપ શિવસેનાને નવા નવા વિકલ્પ આપી રહી છે પરંતુ તેમછતાં બંને વચ્ચે મતભેદ ખતમ નથી થઈ રહ્યા. એક તરફ જ્યાં શિવસેના દાવો કરી રહી હતી કે તેની પાસે 170 ધારાસભ્યોનુ સમર્થન છે અને તે અન્ય દળો સાથે પણ સંપર્કમાં છે તો ત્યારબાદ હવે ભાજપના નેતા તરફથી મોટુ નિવેદન સામે આવ્યુ છે. જો કે ભાજપને હજુ પણ આશા છે કે શિવસેના તેની સાથે સરકાર રચવામાં શામેલ થશે પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે આ સાથે ભાજપે પણ અન્ય વિકલ્પો પર વિચાર કરવાનુ શરૂ કરી દીધુ છે.

એનસીપી સાથે કરી શકે છે સંપર્ક
ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યુ કે ભાજપ હજુ પણ આશા રાખી રહી છે કે શિવસના તેમની સાથે આવશે પરંતુ આ સાથે જ ભાજપ એનસીપીનો પણ સંપર્ક કરી શકે છે. સાથે જ તેમણે કહ્યુ કે જો ભાજપ એ વાત માટે આશ્વસ્ત નહિ થાય કે તે સંસદમાં પોતાનો બહુમત સાબિત નથી કરી શકતી તો તે સરકાર બનાવવાનો દાવો રજૂ નહિ કરે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર અનુસાર ભાજપ નેતૃત્વએ આ નિર્ણય લીધો છે કે જો બહુમત માટે રસ્તો સાફ નહિ થાય તો અમે સરકાર બનાવવાની કોશિશ નહિ કરીએ.

અમારી પાસે આંકડો નથી
ભાજપ નેતાએ જણાવ્યુ કે અમને ખબર છે કે અમારી પાસે આંકડો નથી. અમને હજુ પણ આશા છે કે શિવસેના અમારી સાથે આવશે પરંતુ અમે એનસીપીનો પણ સંપર્ક કરી શકીએ છીએ. તેમણે 2014માં અમારી મદદ કરી હતી. જો અમે અમારા પ્રયોગમાં નિષ્ફળ જઈશુ તો સરકાર બનાવવાનો દાવો રજૂ કરવો વાજબી નહિ ગણાય, અમે આવી કોઈ સ્થિતિમાં પડવા નથી માંગતા જ્યાં પાર્ટીની શરમનો સામનો કરવો પડે. ભાજપ નેતાએ કહ્યુ કે 24 ઓક્ટોબરે પરિણામ આવ્યા બાદ શિવસેનાને મનાવવાની ઘણી કોશિશ કરવામાં આવી પરંતુ તેમના તરફથી કોઈ સકારાત્મક જવાબ નથી આવ્યો. અમને લાગે છે કે શિવસેનાની માંગ વાજબી નથી, 288 સીટોમાંથી શિવસેનાએ માત્ર 56 સીટો પર જીત મેળવી છે જ્યારે ભાજપે 105 સીટો પર જીત મેળવી છે.

રાજ્યપાલ કરશે બધા વિકલ્પો પર વિચાર
રાજ્યમાં સરકારની રચના પર ભાજપ નેતાએ કહ્યુ કે ભાજપ આ વાત માટે આશ્વસ્ત છે કે રાજ્યપાલ રાજ્યમાં સરકાર બનાવવા માટે બધા વિકલ્પો પર વિચાર કરશે. નિયમાનુસાર તેમને સૌથી મોટી દળને પહેલા સરકાર બનાવવાનુ આમંત્રણ આપવુ જોઈએ, ત્યારબાદ તે બીજા સૌથી મોટા દળને આમંત્રિત કરી શકે છે. જ્યારે બધા વિકલ્પ ખતમ થઈ જાય તો તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
