મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે દિવાળી માટે જારી કરી ગાઈડલાઈન, ફટાકડા ન ફોડવાની કરી અપીલ
મહારાષ્ટ્ર સરકારે દિવાળી માટે દિશા-નિર્દેશ જારી કર્યા છે.
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે દિવાળી માટે દિશા-નિર્દેશ જારી કર્યા છે. એસઓપી/ગાઈડલાઈનમાં મહારાષ્ટ્ર સરકારે અપીલ કરી છે કે કોરોના વાયરસને જોતા દિવાળી પર ફટાકડા કોઈએ ન ફોડવા, આનાથી કોવિડ-19ના દર્દીઓને મુશ્કેલી થઈ શકે છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યુ છે કે ફટાકડા ફોડવાથી વાયુ પ્રદૂષણ પણ વધશે. તેમણે કહ્યુ કે જો રાજ્યમાં વાયુ પ્રદૂષણ વધશે તો કોરોના સંક્રમિત દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી થશે અને ઈલાજમાં અડચણ આવી શકે છે. માટે આ વર્ષે દિવાળી પર બધાએ ફટાકડા ફોડવાનુ ટાળવુ જોઈએ.

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર તરફથી દિવાળી ઉત્સવ 2020 વિશે દિશા નિર્દશ જારી કરવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે આ વર્ષે રાજ્યના લોકોને અપીલ છે કે તમે દિવાળી સાદગી સાથે ઘરમાં મનાવો. કોરોના કાળમાં જેમ બાકીના ઉત્સવ મનાવ્યા એવી જ રીતે દિવાળી પણ મનાવવામાં આવે. સરકારે કહ્યુ છે કે કોવિડ-19 સંક્રમિત દર્દીઓને વાયુ પ્રદૂષણના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. એવામાં જો દિવાળી પર ફટાકડા ફોડવામાં આવે તો વાયુ પ્રદૂષણ વધશે અને દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
સરકારે ફટાકડાની જગ્યાએ વધુને વધુ દીવા પ્રગટાવવાની અપીલ કરી છે. સરકારે એ પણ અપીલ કરી છે કે રાજ્યમાં સાર્વજનિક કાર્યક્રમની જગ્યાએ રક્તદાન શિબિર અને અન્ય મેડિકલ કેમ્પનુ આયોજન કરો. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. રાજ્યમાં કોવિડ-19ના કુલ સંક્રમિતની સંખ્યા 17 લાખને પાર જતી રહી છે. રાજ્યમાં કોરોનાના 17,03,444 કેસ છે અને 44 હજાર 804 લોકોના મોત થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસોની સંખ્યા 106519 છે.
Maharashtra Government issues Standard Operating Procedures (SOPs) on preventive measures to contain the spread of #COVID19 during Diwali celebrations; urges citizens to avoid bursting crackers to curb noise and air pollution. pic.twitter.com/jCYsQI40uX
— ANI (@ANI) November 6, 2020
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
