Maharashtra Elections 2024 : મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા શરદ પવારનો મોટો દાવ, 50 ટકા અનામત ખતમ કરવાની વાત કરી
Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શરદ પવાર કિંગ મેકર બનીને ઉભરી રહ્યા છે. હવે તેમને 50 ટકા અનામતની લિમીટ હટાવવાની વાત કરીને ફરીથી આ સાબિત કર્યું છે.
હાલમાં જ શરદ પવારે 50 ટકા અનામતની લિમિટને હટાવવાની વકિલાત કરી છે. અહીં તેમણે મરાઠા અનામતની માંગને લઈને મોટો દાવ ખેલી દીધો. હવે આ મુદ્દે રાજનીતિ ગરમાઈ છે.

મરાઠાઓને ઓબીસી ક્વોટામાંથી અનામત આપવામાં માંગ વચ્ચે શરદ પવારે આ વાત કરીને ફરીથી મુદ્દાને છંછેડ્યો છે. તેમણે એક જ નિવેદનથી ઘણા તીર માર્યા છે.
અહીં તેમણે કોઈ અન્ય ક્વોટામાં મરાઠાઓને સામેલ કરવાની જગ્યાએ અલગ ક્વોટા બનાવવાની વાત કરી. આમ કરીને તેમણે ઓબીસી અને મરાઠા બન્નેને પોતાની તરફ આકર્ષી લીધા.
શરદ પવારે કહ્યું કે, મરાઠા સમુદાય માટે આરક્ષણનો વિચાર સાચો છે, તેમને તેમાં કોઈ ખામી દેખાતી નથી પરંતુ મરાઠા આરક્ષણ માટે ઓબીસી સમુદાયને તકલીફ ન પડવી જોઈએ. મરાઠા સમુદાય માટે અલગ ક્વોટા હોવો જોઈએ.
તેમણે કહ્યું કે, અનામતની વર્તમાન 50 ટકા મર્યાદાને નાબૂદ કરવી જોઈએ. અનામત મર્યાદાનું પુનઃ મૂલ્યાંકન કરીને અનામત મર્યાદા વધારવી જોઈએ પરંતુ આ માટે કાયદામાં ફેરફારની જરૂર પડશે.
અહીં તેમણે ઓબીસી મતદારોને ખુશ કરવા સાથે સાથે મરાઠાઓને અનામત આપવાની વકિલાત કરીને મોટો દાવ ખેલ્યો છે. અહીં તેમણે એ સ્પષ્ટ કર્યુ કે તે મરાઠા અનામત માટે ઓબીસીમાં છેડછાડના પક્ષમાં નથી.
જણાવી દઈએ કે, વંચિત બહુજન અઘાડીના વડા અને આંબેડકર મહાસભાના સ્થાપક પ્રકાશ આંબેડકરે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મરાઠાઓને ઓબોસી ક્વોટામાં આરક્ષણ નથી જોઈતું. પ્રકાશ આંબેડકરે પણ અનામતની મર્યાદા વધારીને 50 ટકા કરવાની હિમાયત કરી.
શરદ પવારનું આ નિવેદન કોંગ્રેસ અને રાહુલ ગાંધીની વાતનું પણ સમર્થન છે. રાહુલ ગાંધી પણ અનામતની 50 ટકા મર્યાદાને દૂર કરવા અવાજ ઉઠાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
