Exit Polls: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસને મોટો ઝાટકો લાગી શકે છે
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન પૂરું થયા પછી એક્ઝીટ પોલ અનુમાન અનુસાર, કેન્દ્રમાં ભાજપા સરકાર આવી શકે છે.
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન પૂરું થયા પછી એક્ઝીટ પોલ અનુમાન અનુસાર, કેન્દ્રમાં ભાજપા સરકાર આવી શકે છે. મોટાભાગના એક્ઝીટ પોલ ભાજપા ગઠબંધનને બહુમત આપી રહ્યા છે. જયારે કર્ણાટકની વાત કરવામાં આવે તો કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને મોટો ઝાટકો લાગી શકે છે. કર્ણાટક પોલ ઓફ પોલ્સમાં ભાજપ આ ગઠબંધનથી ઘણું આગળ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: Exit Poll 2019: જાણો એક માત્ર એક્ઝિટ પોલ, જેણે એનડીએને બહુમતી ન આપી

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસને મોટો ઝાટકો લાગી શકે છે
કોંગ્રેસ પાર્ટી, જે કર્ણાટકમાં એચડી કુમારસ્વામી સાથે ગઠબંધન કરીને ભાજપને સત્તાથી દૂર રાખવામાં સફળ થઇ હતી, તેઓ આ લોકસભા ચૂંટણીમાં ભાજપથી પાછળ પડતા જોવા મળી રહ્યા છે. 13 એક્ઝીટ પોલના કુલ આંકડાથી જાણવા મળ્યું છે કે કર્ણાટકની 28 લોકસભા સીટોમાંથી ભાજપને 19 અને કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને 9 સીટો મળતી જોવા મળી રહી છે.

એક્ઝીટ પોલમાં ભાજપને વધારે સીટો
કર્ણાટકમાં ભાજપની અનુમાનિત સૌથી વધારે 25 સીટો છે, આજતક-એક્સિસ માય ઇન્ડિયાના એક સર્વે મુજબ છે. જયારે એબીપી ન્યુઝ નેલસન ઘ્વારા સૌથી ઓછી 15 સીટોનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ ફક્ત એક્ઝીટ પોલ છે, જે હંમેશા સાચા સાબિત નથી થતા. આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પરિણામ 23 મેં દરમિયાન જાહેર કરવામાં આવશે. વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં ભાજપે 17 સીટો, કોંગ્રેસે 9 સીટો અને જનતા દળ સેક્યુલરે 2 સીટો જીતી હતી.

23 મેં દરમિયાન પરિણામ જાહેર થશે
હજુ સુધી કોંગ્રેસ અથવા એચડી કુમારસ્વામી ઘ્વારા આ એક્ઝીટ પોલ અંગે કોઈ પણ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તીખી પ્રતિક્રિયા આપીને તેને ફગાવી દીધા છે. મમતા બેનર્જીએ એક્ઝીટ પોલને ગપ્પા ગણાવીને કહ્યુ કે આની પાછળનું કારણ એ છે કે હજારો ઈવીએમને આ ગપબાજી વચ્ચે બદલી શકાય. હું તમામ વિપક્ષી દળોને અપીલ કરુ છુ કે તે એક, મજબૂત અને સખત રહે. આપણે એક સાથે મળીને આ લડાઈ લડીશુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
