મોદી પરના નિવેદનને લઈ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ પાઠવી, 48 કલાકમાં માંગ્યો જવાબ
મોદી પરના નિવેદનને લઈ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ પાઠવી, 48 કલાકમાં માંગ્યો જવાબ
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદીને લઈ આપેલ નિવેદન બદલ નોટિસ પાઠવી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી આદિવાસિઓને ગોળી મારી શકાય તેવો કાયદો લાવી રહ્યા છે. પંચે રાહુલ ગાંધીના નિવેદનને આચાર સંહિતાનો ઉલ્લંઘન માનતા 48 કલાકમાં જવાબ આપવા કહ્યું છે. મધ્ય પ્રદેશના શહડોલમાં પોતાના ચૂંટણી ભાષણમાં રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું હતું.

રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના શહડોલમાં 23 એપ્રિલે જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ એક નવો કાયદો બનાવ્યો છે જેમાં એક લાઈન છે કે આદિવાસીઓને ગોળી મારી શકાય છે. આ કાયદામાં આદિવાસિઓ પાસેથી જંગલ, જમીન, જળ લઈ તેમની ગોળી પણ મારી શકાય છે. રાહુલ ગાંધીના આ નિવેદનને આચાર સંહિતાનો ભંગ અને જૂઠું ગણાવતા ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. પંચે મધ્ય પ્રદેશના ચૂંટણી કમિશનરને આ ભાષણનું રેકોર્ડિંગ અને લેખિતમાં કોપી મંગાવી, જે બાદ રાહુલ ગાંધીને નોટિસ મોકલવામાં આવી છે.
ચૂંટણી પંચે બુધવારે મધ્ય પ્રદેશની ભોપાલ સીટથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુર પર 3 દિવસ પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 2મેના રોજ સવારે 6 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે. પ્રજ્ઞા ઠાકુરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે બાબરી મસ્જિદ તોડી પાડવાનો તેમને ગર્વ છે. ચૂંટણી પંચે પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનને આચાર સંહિતાનો ઉલ્લંઘન માનતાં તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
દેશમાં 17મી લોકસભા માટે લોકસભા ચૂંટણી થઈ રહી છે. સાત તબક્કામાં ચૂંટણી થઈ રહી છે. પહેલા તબક્કામાં 11 એપ્રિલ, બીજા તબક્કામાં 18 એપ્રિલ, ત્રીજા તબક્કામાં 23 એપ્રિલ અને ચોથા તબક્કામાં 29 એપ્રિલના રોજ મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે. પાંચમાં તબક્કામાં 6મેના રોજ, છઠ્ઠા તબક્કામાં 12મેના રોજ અને સાતમાં તબક્કામાં 19 મેના રોજ મતદાન થનાર છે. 23મી મેના રોજ પરિણામ જાહેર થશે.
આ પણ વાંચો- કિસાન મોર્ચાના ખેડૂતોને સંબોધિત કરશે મોદી, જયપુરમાં રાહુલની રેલી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
