'જેમણે લૂંટ્યા છે, તેમને જેલમાં ધકેલીશુ', દિલ્લીમાં પીએમ મોદીએ ઈંડી ગઠબંધનને ઘેર્યુ
PM Modi Delhi Rally: દિલ્હીની 7 લોકસભા સીટો માટે 25 મેના રોજ મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં હવે તમામ રાજકીય પક્ષોએ દિલ્હીમાં ચૂંટણી પ્રચાર તેજ કરવાનું શરૂ કરી દીધું છે. આ શ્રેણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકામાં એક જાહેર સભાને સંબોધિત કરતા ઈન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા.
બુધવારે ભાજપની રેલીમાં પીએમ મોદી ખૂબ જ આક્રમક દેખાતા હતા. તેમણે સ્ટેજ પરથી દાવો કર્યો કે લૂંટારાઓ જેલમાં જશે. આ સાથે કોંગ્રેસ-ઈન્ડિયા ગઠબંધન તેમના રડાર પર રહ્યું.

એક ચૂંટણી રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર પર જોરદાર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ભાજપ સરકાર જે લોકોને લૂંટવામાં આવ્યા છે તેમના પૈસા પરત કરશે. જેમણે લૂંટ કરી છે તેને જેલમાં મોકલવામાં આવશે. દારૂ કૌભાંડ અને નેશનલ હેરાલ્ડના ગેરઉપયોગમાં સંડોવાયેલા લોકો પાસેથી એક-એક પૈસો વસૂલવામાં આવશે. તેમણે તેમના નિવેદનને મોદીની ગેરંટી સાથે સરખાવી હતી.
તેમના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, "5 તબક્કાના મતદાને ભાજપ, એનડીએની મજબૂત સરકારની પુષ્ટિ કરી છે. દેશ એ પણ સમજી રહ્યો છે કે જો ભૂલથી પણ લોકો ઈન્ડિયા ગઠબંધનને વોટ આપશે તો તે વોટ દેશ માટે કોઈ કામના નથી. ભવિષ્યમાં, ભાજપને આપવામાં આવેલ દરેક મત વિકસિત ભારત માટેના સંકલ્પને મજબૂત કરશે."
PM મોદીએ વધુમાં કહ્યું કે, "આ INDIA ગઠબંધન આજે દેશમાં ફેલાયેલી દરેક દુષ્ટતાનું પ્રતિક છે. INDIA ગઠબંધનના તમામ લોકોમાં ત્રણ બાબતો સમાન છે - આત્યંતિક સાંપ્રદાયિકતા, આત્યંતિક જાતિવાદ અને આત્યંતિક પરિવારવાદ. દિલ્હી તેમની સાંપ્રદાયિકતાનું સાક્ષી છે. દિલ્હીમાં જે લુટિયન ગેંગ, ખાન માર્કેટ ગેંગ છે, તેમણે આ ઘોર સાંપ્રદાયિક લોકોની સુરક્ષા કરવામાં તેમનું જીવન ખપાવી દીધુ."
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "આજે કોલકાતા હાઈકોર્ટે INDI ગઠબંધનને જોરદાર લપડાક આપી છે અને 2010 થી જાહેર કરાયેલા તમામ OBC પ્રમાણપત્રો રદ કરી દીધા છે, આ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે પશ્ચિમ બંગાળ સરકારે મુસ્લિમ વોટ બેંક માટે મુસ્લિમોને ઓબીસી સર્ટિફિકેટ આપી દીધા હતા. આ વોટ બેંક, તુષ્ટિકરણની રાજનીતિ દરેક હદ વટાવી રહી છે.












Click it and Unblock the Notifications
