Lok Sabha Election 2024 : બિહારની 17 સીટો પર મુસ્લિમોનો દબદબો, આ 4 સીટો પર નક્કી કરે છે હાર-જીત
દેશની 88 સીટો પર લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે. લોકસભા ચૂંટણીમાં બિહારનું વિશેષ મહત્વ છે ત્યારે તમને જણાવી દઈએ કે, અહીંની 17 સીટો પર મુસ્લિમ મતનો દબદબો છે.
બિહારના સીમાંચલ વિસ્તારને સામાન્ય રીતે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો માનવામાં આવે છે. પરંતુ બિહારની 40 લોકસભા સીટોની વાત કરીએ તો લગભગ અડધી એટલે કે 17 સીટો પર મુસ્લિમ મતદારો કિંગમેકરની ભૂમિકામાં છે.

કિશનગંજમાં મુસ્લિમ મતદારો બહુમતીમાં છે. પરંતુ એવી ત્રણ બેઠકો પણ છે જ્યાં તેમની વસ્તી એક તૃતીયાંશ કરતાં વધુ છે. મુસ્લિમ મતદારોની વોટિંગ પેટર્ન જોઈને ખબર પડે છે કે તેઓ મોટાભાગે એકતરફી મતદાન માટે જાણીતા છે. તેથી તે જે પાર્ટી સાથે ચાલે તેનો હાથ ઉપર રહે છે.
કિશનગંજમાં લગભગ 68 ટકા મુસ્લિમ મતદારો
બિહારમાં એક ચતુર્થાંશ અથવા 10 લોકસભા બેઠકો પર મુસ્લિમોની વસ્તી 18% થી વધુ છે. સૌથી વધુ એટલે કે લગભગ 68% મતદારો કિશનગંજમાં છે. 1967 પછી એવી કોઈ ચૂંટણી નથી થઈ જેમાં કોઈ બિન-મુસ્લિમ સાંસદ બન્યા હોય. અહીંની તમામ છ વિધાનસભાના ધારાસભ્યો પણ મુસ્લિમ છે.
કટિહાર, પૂર્ણિયા, અરરિયામાં પણ મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ
મુસ્લિમ મતદારોની બીજી સૌથી વધુ સંખ્યા ધરાવતો વિસ્તાર એટલે કે લગભગ 43% કટિહાર છે. મુસ્લિમો અહીંથી 6 વખત સાંસદ તરીકે ચૂંટાયા છે અને કોંગ્રેસના વર્તમાન ઉમેદવાર તારિક અનવરે 5 વખત પ્રતિનિધિત્વ કર્યું છે.
અરરિયા સીટ પર 42% મુસ્લિમ મતદારો
અરરિયા સીટ પર પણ લગભગ 42% મુસ્લિમ મતદારો છે. અહીં 2014માં જ આરજેડીના મુસ્લિમ ઉમેદવાર તસ્લીમુદ્દીન જીત્યા હતા. પૂર્ણિયામાં પણ એક તૃતિયાંશથી વધુ મતદારો મુસ્લિમ છે. અહીં મુસ્લિમ મતદારોની સંખ્યા લગભગ 38% છે. જો કે, આ વખતે કોઈ અગ્રણી મુસ્લિમ ચહેરો મેદાનમાં નથી.
મિથિલાંચલની મધુબની સીટ પર પણ લગભગ 26% મુસ્લિમ મતદારો છે અને અત્યાર સુધી અહીંથી મુસ્લિમ ઉમેદવાર 4 વખત જીત્યા છે. આ વખતે આરજેડીએ દરભંગાના તેના પૂર્વ સાંસદ અલી અશરફ ફાતમીને ટિકિટ આપી છે.
ભાજપે અહીંથી વર્તમાન સાંસદ અશોક યાદવને ઉમેદવાર બનાવ્યા છે. કેઓટી, બિસ્ફી, મધુબની અને હરલાખી એ મધુબનીમાં મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિધાનસભા ક્ષેત્રો છે.
મિથિલાંચલના દરભંગામાં પણ લગભગ 23% મુસ્લિમ મતદારો છે. આ બેઠક પરથી મુસ્લિમ ઉમેદવાર 6 વખત જીત્યા છે. ભાજપે વર્તમાન સાંસદ ગોપાલજી ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે આરજેડીએ લલિત યાદવ પર દાવ લગાવ્યો છે.
મિથિલાંચલની સીતામઢી સીટ પર મુસ્લિમોની વસ્તી લગભગ 21% છે. પરંતુ હજુ સુધી આ બેઠક પરથી મુસ્લિમ ઉમેદવાર જીત્યો નથી. મંડલની રાજનીતિ બાદ આ સીટ લાલુ યાદવની પાર્ટીનો ગઢ બની ગઈ હતી. પરંતુ હવે અહીં એનડીએનો સિક્કો ચાલે છે.
આ વખતે જેડીયુએ અહીંથી દેવેશ ચંદ્ર ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે આરજેડીએ પૂર્વ સાંસદ અર્જુન રાય પર દાવ લગાવ્યો છે.
ચંપારણ સીટ પર મુસ્લિમ વોટ મહત્વપૂર્ણ
2008 માં સીમાંકનને કારણે બેતિયા બેઠક પશ્ચિમ ચંપારણ બની અને અહીં પણ 20% થી વધુ મુસ્લિમો છે. બેતિયાથી મુસ્લિમ ઉમેદવાર બે વખત જીત્યા છે. પરંતુ હવે તે ભાજપનો ગઢ બની ગયો છે.
પૂર્વ ચંપારણ પણ સીમાંકન પહેલા મોતિહારી હતું, જ્યાં લગભગ 21% મુલમાન છે. જો કે, અહીંથી અત્યાર સુધી એકપણ મુસ્લિમ ઉમેદવારનું નસીબ ચમક્યું નથી. ભાજપે વર્તમાન સાંસદ રાધામોહન સિંહને અને ઈન્ડિયા બ્લોકે રાજેશ કુશવાહાને મેદાનમાં ઉતાર્યા છે.
સિવાન સીટ પર મુસ્લિમોનું વર્ચસ્વ
સિવાન લોકસભા સીટ પર માત્ર 18% મુસ્લિમ વસ્તી હોવા છતાં એક મુસ્લિમ ઉમેદવારને 9 વખત ચૂંટાવાની તક મળી છે. કુખ્યાત ગુનેગાર શહાબુદ્દીનને ચાર વખત આરજેડી તરફથી ચૂંટણી જીતવાની તક મળી હતી. આ વખતે જેડીયુએ રમેશ કુશવાહાને ટિકિટ આપી છે અને આરજેડીએ અવધ બિહાર ચૌધરીને ટિકિટ આપી છે.
આ સાત બેઠકો પર પણ મુસ્લિમો કિંગમેકરની ભૂમિકામાં
ઉપરોક્ત 10 બેઠકો સિવાય બિહારની 7 લોકસભા બેઠકોમાં મુસ્લિમોની વસ્તી 13 થી 17% ની વચ્ચે છે. ગોપાલગંજ (17%), સુપૌલ (17%), શિવહર (16%), મુઝફ્ફરપુર (15%), ખગરિયા (15%), બેગુસરાઈ (14%) અને ગયા (13%) ટકા મત છે.












Click it and Unblock the Notifications
