Lok Sabha Election 2024 : 4 પ્રકારના હિન્દુ ક્યારેય બીજેપીને મત નહીં આપે, પ્રશાંત કિશોરનો મોટો દાવો
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હવે રણનીતિનું કામ છોડીને બિહારમાં મોરચો બનાવીને લોકોને જાગૃત કરી રહ્યા છે. આ દરમિયાન તેમને મોટો દાવો કર્યો છે.
લોકસભા ચૂંટણી વચ્ચે પ્રશાંત કિશોરે મોટો દાવો કર્યો છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, મોદી, રામમંદિર, રાષ્ટ્રવાદ અને લાભાર્થીઓ હોવા છતાં અડધાથી વધુ હિંદુઓ ભાજપને મત નથી આપી રહ્યા.

અહીં તેમણે મોટો દાવો કર્યો અને કહ્યું કે, ચાર પ્રકારના વૈચારિક હિંદુઓ ક્યારેય બીજેપીને મત નહીં આપે. એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રશાંત કિશોરે આ દાવો કર્યો.
તેમણે કહ્યું કે, 2019માં ભાજપને 38 ટકા વોટ મળ્યા હતા. દેશમાં મુસ્લિમોએ મત આપ્યા નહોતા. જો 80 ટકા હિંદુઓવાળા દેશમાં બીજેપીને માત્ર 38 ટકા વોટ મળે તો તેનો અર્થ એ છે કે અડધાથી પણ ઓછા હિંદુઓએ ભાજપને મત આપ્યો છે.
પ્રશાંત કિશોરે કહ્યું કે, મુસ્લિમ હોવાના કારણે અને જો તમે બીજેપી સામે લડવા માંગતા હોવ તો તમારે સમજવું પડશે કે કયા હિન્દુઓ ભાજપને વોટ નથી આપી રહ્યા. આ ચાર વિચારધારાના હિન્દુઓ છે.
પ્રશાંત કિશોરે કહ્યું કે, જે હિંદુઓ ગાંધીમાં વિશ્વાસ કરે છે તેઓ ભાજપના હિંદુત્વમાં વિશ્વાસ કરવાના નથી. આંબેડકરને માનનારા લોકો ભાજપની વિચારધારાને સ્વીકારવા તૈયાર નથી. આ સિવાય સામ્યવાદી વિચારધારા ધરાવતા હિન્દુઓ ભાજપને મત આપવા તૈયાર નથી. એટલું જ નહીં સમાજવાદી લોહિયામાં માનનારા કેટલાક લોકો ભાજપની વિચારધારાને સ્વીકારવા તૈયાર નથી.
તેમણે આગળ કહ્યું કે, આ ચાર વિચારધારામાં માનનારા લોકોએ મુસ્લિમો સાથે સામાજિક-રાજકીય ગઠબંધન કરવું જોઈએ અને તેમાંથી નવો વિકલ્પ બનાવવો જોઈએ. તેમને સાથે લાવવાની જરૂર છે.
પ્રશાંત કિશોરે કહ્યું કે, તો જ વિપક્ષની રચના થઈ શકે છે. તો જ ભાજપ સામે લડી શકીશું. આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ગાંધીજીની વિચારધારા એવી છે કે તેને સામ્યવાદીઓ, આંબેડકરવાદીઓ, સમાજવાદીઓ અને કોંગ્રેસીઓ સ્વીકારે છે. મુસ્લિમોએ કટ્ટરતા તરફ ન જવું જોઈએ. તેઓએ ગાંધીજીની વિચારધારાને અપનાવવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
