ચારા કૌભાંડ: તેજસ્વી યાદવ સહિત 3ને કોર્ટના અનાદરની નોટિસ
ઘાસચારા કૌભાંડમાં અદાલત દ્વારા લાલુ પ્રસાદ યાદવ સહિત 16ને દોષી જાહેર કર્યા.બાદ અદાલતના આ નિર્ણય વિરુદ્ધ નિવેદનો કરવા નેતાઓને મોંઘા પડ્યા છે.આ અંગે વધુ વાંચો અહીં
ઘાસચારા કૌભાંડમાં અદાલત દ્વારા લાલુ પ્રસાદ યાદવ સહિત 16ને દોષી જાહેર કર્યા બાદ અદાલતના આ નિર્ણય વિરુદ્ધ નિવેદનો કરવા નેતાઓને મોંઘા પડ્યા છે. અદાલતના આ નિર્ણય વિરુદ્ધ ટિપ્પણી કરનાર ત્રણ નેતાઓને 'કારણ જણાવવાની' નોટિસ ફટકારવામાં આવી છે. અદાલતના અનાદર બદલ તેમને નોટિસ ફટકારવામાં આવી છે. આ ત્રણ લોકોમાં રઘુવંશ પ્રસાદ સિંહ, તેજસ્વી પ્રસાદ યાદવ અને મનોજ ઝાનો સમાવેશ થાય છે. આ સૌને 23 જાન્યુઆરીનું સમન જાહેર કરવામાં આવ્યું છે અને પોતાના નિવેદન અંગે સફાઇ આપવાનું જણાવવામાં આવ્યું છે. અદાલતના આ નિર્ણય બાદ રઘુવંશ પ્રસાદે માફી માંગવાની વાત નકારી છે અને તેમણે કહ્યું છે કે, મેં કશું ખોટું નથી કહ્યું.

અદાલતના સમનબાદ રાજદ નેતા મનોજ ઝાએ કહ્યું કે, આ ખૂબ આશ્ચર્યજનક છે, કારણ કે અમારામાંથી કોઇએ આ પ્રકારનું કોઇ નિવેદન નથી આપ્યું. અમે અદાલતના નિર્ણય કે ન્યાયિક કાર્યવાહી પર કોઇ પ્રકારનું નિવેદન નથી આપ્યું. મેં અદાલતનો અનાદર નથી કર્યો. અદાલતના નિર્ણય બાદ રાજદ ઉપાધ્યક્ષ રઘુવંશ પ્રસાદે કહ્યું હતું કે, જેડીયૂ અને ભાજપ જે ઇચ્છે એવો નિર્ણય અદાલત પાસે લેવડાવે છે. સીબીઆઇ અને ઈડીના નિર્ણયને અદાલત દ્વારા લીક કરાવવામાં આવે છે. વર્ષ 2019 પહેલાં જ બિહાર સરકાર પડી ભાંગશે. રઘુવંશ પ્રસાદે કહ્યું હતું કે, કોર્ટનો નિર્ણય આઈટી, ઈડી અને સીબીઆઈના નિર્ણય પહેલા તેમના પ્રવક્તા એ અંગે ભવિષ્યવાણી કરે છે. અમે આને શું સમજીએ, આમાં સૌની મિલીભગત છે. સૌને અગાઉથી કઇ રીતે ખબર પડી જાય છે કે, સીબીઆઈ, ઈડી, આઈટી અને અદાલતનો શુ નિર્ણય આવશે. અમે લોકોને આ બધી જાણકારી આપીશું અને મોટી ચળવળ ઊભી કરીશું, વર્ષ 2018 સુધીમાં અમે બિહાર સરકારની વિદાય કરીશું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
