સબરીમાલા કેસઃ શું કહે છે ભાજપ, કોંગ્રેસ અને મહિલા કાર્યકર્તા
સુપ્રીમ કોર્ટે સબરીમાલા કેસમાં દાખલ કરેલ પુનર્વિચાર અરજી પર ચુકાદો નથી સંભળાવ્યો. કોર્ટે કેસ 7 જજોની પીઠને સોંપી દીધો છે.
સુપ્રીમ કોર્ટે સબરીમાલા કેસમાં દાખલ કરેલ પુનર્વિચાર અરજી પર ચુકાદો નથી સંભળાવ્યો. કોર્ટે કેસ 7 જજોની પીઠને સોંપી દીધો છે. આ કેસ સબરીમાલા મંદિરમાં બધા વયની મહિલાઓના પ્રવેશ સાથે જોડાયેલો છે. વાસ્તવમાં ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે સબરીમાલા કેસમાં 4-1ના બહુમતથી ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. જે હેઠળ બધા વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશની અનુમતિ મળી ગઈ હતી.

પ્રવેશની અનુમતિના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો
આ પહેલા 10થી 50 વર્ષની મહિલાઓ જ મંદિરમાં પ્રવેશ નહોતી કરી શકતી. અહીં સદીઓથી આ પરંપરા રહી છે કે ભગવાન અયપ્પાના દર્શન એ મહિલાઓ નહોતી કરી શકતી જેમને માસિક ધર્મ થાય છે. જોકે સુપ્રીમ કોર્ટે આ પ્રથાને મહિલાઓ સાથે ભેદભાવ માનીને બધાને પ્રવેશની અનુમતિના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટના આ ચુકાદાનુ અમુક લોકોએ સમર્થન કર્યુ જ્યારે અમુકે તેનો વિરોધ કર્યો.

ભારતીય જનતા પાર્ટી
ભાજપ નેતા કુમ્મનમ રાજશેખરનનુ કહેવુ છે કે, સુપ્રીમ કોર્ટે સબરીમાલાની પરંપરાઓને જાળવી રાખી છે... આ ચુકાદાથી સ્પષ્ટ છે કે રાજ્યને વિશ્વાસ મામલે પોતાને શામેલ ન કરવુ જોઈએ. મને આશા છે કે રાજ્ય સરકાર મંદિરમાં યુવા મહિલાઓને લાવવાની કોશિશ નહિ કરે. આ ચુકાદાએ એ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે છેલ્લો ચુદાકો ખોટો હતો.. કેરળ સરકારે 7 જજોની પીઠને પોતાનો ચુકાદો આપવા સુધી સંયમ બતાવવુ જોઈએ. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવે સબરીમાલા કેસમાં મોટી પીઠને સોંપવાનુ સ્વાગત કર્યુ છે. તેમણે કહ્યુ કે તે ભક્તોના અધિકારોની રક્ષા અને વિશ્વાસ જાળવી રાખવાની દિશામાં આ ચુકાદાનુ સમ્માન કરે છે. તેમણે કહ્યુ કે આ કેસ ક્યારેય મૌલિક અધિકારોનો નથી રહ્યો. આ સમાજ દ્વારા સ્વીકૃત સદીઓ જૂની પરંપરાનો કેસ હતો.

મહિલા કાર્યકર્તા
મહિલા કાર્યકર્તા તૃપ્તિ દેસાઈને આશા છે કે મોટી પીઠ સપ્ટેમ્બર 2018માં આવેલા ચુકાદાને નહિ પલટે. તે કહે છે, ‘ત્રણ જજોની આ પીઠ પણ મહિલાઓના અધિકારોના પક્ષમાં છે અને મારુ માનવુ છે કે મોટી પીઠ પણ મહિલાઓના પક્ષમાં સુનાવણી બાદ ચુકાદો આપશે.' તમને જણાવી દઈએ કે તૃપ્તિ દેસાઈ કહે છે કે તે એક વાર મંદિરમા પ્રવેશ કરવાની કોશિશ કરશે.

કોંગ્રેસ
કેરળ કોંગ્રેસના નેતા રમેશ ચેન્નિથલાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનુ સ્વાગત કરીને કહ્યુ, ‘ચુકાદો ઘણી હદ સુધી કોંગ્રેસના વલણને અનુરૂપ છે...ભક્તોની ભાવનાઓને જાળવી રાખવામાં આવી છે...હવે મારો માત્ર એટલો અનુરોધ છે કે રાજ્ય સરકારે સ્થિતિને નુકશાન ન પહોંચાડવુ જોઈએ.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
