કિંગફિશર તાળાબંધી: કર્મચારીઓ સાથે નિર્ણાયક બેઠક

છેલ્લા સાત મહિનાથી પગાર ચૂકવવામાં ન આવ્યો હોવાથી એરલાઇન્સના કર્મચારીઓ હડતાળ પર છે. તેમનું કહેવું છે કે તેમનો બાકી પગાર ચૂકવાવામાં આવે ત્યાર બાદ તે નોકરી પર આવશે. કર્મચારીઓની માંગણીના કારણે મેનેજમેન્ટ તાળબંધીની સમયમયાર્દાને આગળ વધારી રહી છે અને જેના કારણે ચાર ઑક્ટોબરથી ઉડાણો રદ કરવામાં આવી છે.
તાળાબંધી ઘોષણા બાદ બધી જ ઉડાનો રદ કરવામાં આવી છે અને ડીજીસીએએ વિજય માલ્યાની એરલાઇન્સને ટિકીટોનું વેચાણ બંધ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ કિંગફિશરે તાળાબંધી સમાપ્ત કર્યા વિના ગત સપ્તાહથી ટીકીટોનું બુકિંગ શરૂ કરી દિધું છે.
ડીજીસીજીએ પાંચ ઓક્ટોબરના રોજ કિંગફિશરને નોટીસ ફટકારીને પૂછ્યું હતું કે તે સુરક્ષિત અને વિશ્વાસપાત્ર સેવા પુરી પાડતી નથી માટે તેનું લાઇસન્સ અટકાવવામાં આવે અથવા તો રદ કરવામાં આવે. ડીજીસીજીએ આ નોટીસનો જવાબ 15 દિવસમાં આપવાનું કહ્યું હતું.
નાગરિક ઉડ્ડયન મંત્રી અજિત સિંહે કહ્યું હતું કે એરલાઇન્સે પોતાની ઉડાનો શરૂ કરવાની પરવાનગી મેળવ્યા પહેલાં તેને સુરક્ષા અને પગારની ચૂકવણી વિશે ઠોસ યોજના ડીજીસીએ સમક્ષ રજૂ કરવી પડશે. કિંગફિશર 8,000 કરોડ રૂપિયાના નુકશાનમાં છે. અને તેની ઉપર 7,000 કરોડ રૂપિયાનું દેવું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
