કેરળમાં ભારે વરસાદ, ભૂસ્ખલનથી વિનાશ, 26 ના મોત
કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 26 લોકોના મોત નીપજ્યા છે.
કેરળમાં ભારે વરસાદના કારણે પેરિયાર નદીનું જળસ્તર વધી જતા પૂર આવ્યુ છે. નદીનું જળસ્તર વધવાને કારણે ઈડુક્કી ડેમના ગેટને ખોલવાનો નિર્ણય કરવવામાં આવ્યો હતો. સતત વરસી રહેલા વરસાદ અને પૂરના કારણે કેરણના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 26 લોકોના મોત નીપજ્યા છે. પૂરના કારણે કોઝિકોડ-વાલાયર રેલ ટ્રેકને ભારે નુકશાન થયુ છે. ગુરુવારે કોઝિકોડ વિસ્તારમાં એક મકાન ધસી પડ્યુ હતુ. વરસાદના કારણે કેરળ રાજ્ય વિદ્યુત બોર્ડે રેડ એલર્ટ આપી છે. અલપુઝામાં શનિવારે યોજાનાર વાર્ષિક નહેરુ બોટ રેસ પણ સ્થગિત કરી દેવામાં આવી છે જ્યારે એનડીઆરએફની ટીમો પણમ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.

વરસાદ અને પૂરનો કહેર કેરળમાં ચાલુ
એર્નાકુલમાં પેરિયાદ નદીના કિનારે વસેલા 2300 થી વધુ લોકોને રાહત શિબિરોમાં પહોંચાડવામાં આવ્યા. કેરળમાં રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે. કન્નુરમાં ભૂસ્ખલનના કારણે બે મકાન ધસી પડ્યા હતા. વરસાદના કારણે ઘણા મકાનોને નુકશાન પહોંચ્યુ છે. લોકોને પણ ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે. હજુ પણ વરસાદ અને પૂરનો કહેર કેરળમાં ચાલુ જ છે.
|
રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ
સેના, નૌસેના, તટરક્ષક બળ અને એનડીઆરએફની ટીમો ઘણા વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. કાલે ઈદામાલયાર બંધના ચાર ગેટ ખોલી દેવામાં આવ્યા હતા. ગુરુવારે કોચ્ચિ એરપોર્ટ પર પાણી ભરાઈ જવાને કારણે પરિવહન રોકી દેવામાં આવ્યુ હતુ. તેમજ ઘણી જગ્યાએ રેલવેટ્રેક તૂટી જતા રેલવે સેવા પણ ખોરવાઈ હતી. ગુરુવારે પરાવુર વિસ્તારમાં 100 થી વધુ ઘરોને ખાલી કરાવવામાં આવ્યા હતા. એર્નાકુલમમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ છે. લોકોને હોડીઓમાં સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવી રહ્યા છે.
|
હજારો લોકો પ્રભાવિત
પલક્કડ-પોડનૂર સેક્શનમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે રેલવે સેવા ખોરવાઈ હતી. ઈડુક્કી બંધ ખોલી દેવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજારો લોકો પ્રભાવિત થયા છે.
|
પીએમ મોદીએ ટ્વિટ કર્યુ
પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે અમે કેરળના સીએમ પિનરાઈ વિજયન સાથે વાત કરી હતી અને રાજ્યમાં પૂરથી પ્રવર્તી રહેલી પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. અમે પ્રભાવિત લોકો માટે દરેક પ્રકારની સંભવિત મદદ માટે રજૂઆત કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
