નિપાહ વાયરસ અંગે કેરળમાં ફરીથી એલર્ટ, અત્યાર સુધીમાં 17 લોકોના જીવ ગયા
કેરળ સરકારે નિપાહ વાયરસ માટે સંક્રમણ નિયંત્રણ પ્રક્રિયાઓનું કડક રીતે પાલન કરવા માટે બધા જિલ્લા ચિકિત્સાલય અધિકારીઓ (ડીએમઓ) ને એલર્ટ કરી દીધા છે.
કેરળ સરકારે નિપાહ વાયરસ માટે સંક્રમણ નિયંત્રણ પ્રક્રિયાઓનું કડક રીતે પાલન કરવા માટે બધા જિલ્લા ચિકિત્સાલય અધિકારીઓ (ડીએમઓ) ને એલર્ટ કરી દીધા છે. એડિશનલ ડાયરેક્ટર (પબ્લિક હેલ્થ) ડૉ. મીનાક્ષીએ કહ્યુ કે બધા ડીએમઓને ચેતવણી આપી છે કે બધી સરકારી હોસ્પિટલોએ સંક્રમણ નિયંત્રણ પ્રેકટીસનું કડક રીતે પાલન કરવાનું છે. નિપાહ વાયરસને કારણે આ વર્ષે મે મહિનામાં કોઝીકોડ અને મલપ્પુરમ જિલ્લામાં 17 લોકોના જીવ ગયા હતા.

સર્ક્યુલર જાહેર કરતા અધિક ચીફ સેક્રેટરી (સ્વાસ્થ્ય) રાજીવ સદાનંદને કહ્યુ કે બધી સરકારી હોસ્પિટલોમાં કફ કોર્નર પણ હોવો જોઈએ. તેમણે કહ્યુ કે, 'શ્વાસ સંબંધિત સંક્રમણ સામે ઝઝૂમી રહેલા દર્દીઓને માસ્ક આપવા જરૂરી છે અને તેના માટે એક વ્યક્તિ નિયુક્ત કરવી જોઈએ જે તેમને માસ્ક વિશે બધી જાણકારી આપે અને તેને કેવી રીતે પહેરવાનું તે બતાવે.'
કેરળ સરકારના આંકડા અનુસાર નિપાહ વાયરસથી આ વર્ષે 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા. કોઝીકોડ અને મલપ્પુરમાં નિપાહ વાયરસના આતંકથઈ 17 લોકોના જીવ ગયા હતા. વળી, આંતરરાષ્ટ્રીય મેડીકલ જર્નલે જણાવ્યુ હતુ કે રાજ્યમાં નિપાહથી 21 લોકોના જીવ ગયા છે. આંકડા અલગ અલગ હોવા પર ઘણો વિવાદ પણ થયો હતો.
નિપાહ વાયરસ મનુષ્યોના સંક્રમિત સુઅર, ચામાચીડિયા કે અન્ય સંક્રમિત જીવોના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ વાયરસ એન્સેફ્લાઈટિસના કારણે બને છે. આ ઈન્ફેક્શન ફ્રૂટ બેટ્સ દ્વારા લોકોમાં ફેલાય છે. આનાથી પીડિત મનુષ્યને આ ઈન્સેફ્લેટિક સિંડ્રોમ રૂપે ભયંકર તાવ, માથામાં દુખાવો, માનસિક ભ્રમ, કોમા અને છેલ્લે મોત થવાના લક્ષણો જોવા મળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
