કેદારનાથ: ગરૂડચટ્ટી પાસે પ્રાઇવેટ કંપનીનુ હેલિકોપ્ટર થયુ ક્રેશ, 6 લોકોના મોત
કેદારનાથમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. રિપોર્ટ અનુસાર અહીં એક પ્રાઇવેટ કંપનીનુ હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું છે. કેદારનાથથી લગભગ 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં આ અકસ્માત થયો હતો. દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ રાહત અને બચા
કેદારનાથમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. રિપોર્ટ અનુસાર અહીં એક પ્રાઇવેટ કંપનીનુ હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું છે. કેદારનાથથી લગભગ 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં આ અકસ્માત થયો હતો. દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે માહિતી સામે આવી છે તે મુજબ હેલિકોપ્ટરમાં 6 લોકો સવાર હતા. હેલિકોપ્ટર આર્યન કંપનીનું કહેવાય છે. મુખ્યમંત્રીના વિશેષ પ્રિન્સિપલ સેક્રેટરી અભિનવ કુમારે જણાવ્યું કે આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. હેલિકોપ્ટર કેદારનાથથી શ્રદ્ધાળુઓને લઈને ઉડી રહ્યું હતું, જ્યાં ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. રાહત અને બચાવ કાર્ય માટે પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી રહી છે.

હેલિકોપ્ટરે ગુપ્તકાશીથી ઉડાન ભરી હતી, જેમાં પાયલટ સહિત કુલ 6 લોકો સવાર હતા. જ્યારે હેલિકોપ્ટર યાત્રાળુઓ સાથે આગળ વધ્યું ત્યારે તે ગરુડચટ્ટી પાસે ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર જમીન પર પડતાની સાથે જ આગ લાગી હતી અને તેમાં બેઠેલા તમામ 6 લોકોના મોત થયા હતા. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અહીં ભારે વરસાદ પડી રહ્યો હતો, અચાનક 15 મિનિટમાં જ હવામાન ખરાબ થઈ ગયું. અમારી ફ્લાઇટ પણ અહીં રોકી દેવામાં આવી હતી અને હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની માહિતી મળી હતી.
#WATCH | Uttarakhand: A helicopter carrying Kedarnath pilgrims from Phata crashes, casualties feared; administration team left for the spot for relief and rescue work. Further details awaited pic.twitter.com/sDf4x1udlJ
— ANI (@ANI) October 18, 2022
તમને જણાવી દઈએ કે આ ઘટના એવા સમયે બની છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે 21-22 ઓક્ટોબરે અહીં આવી રહ્યા છે. વડાપ્રધાન અહીં કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેવા આવી રહ્યા છે. વડાપ્રધાન અહીં અનેક વિકાસ પરિયોજનાઓની સમીક્ષા કરવા પહોંચી રહ્યા છે. આ પછી તેઓ કેદ્રનાથ જશે અને બદ્રીનાથ પણ જશે. વડાપ્રધાન 21 ઓક્ટોબરે કેદારનાથ દર્શન કર્યા બાદ અહીં રાત્રિ રોકાણ કરશે અને 22 ઓક્ટોબરે બદ્રીનાથ દર્શન માટે જશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
