અમરનાથ યાત્રીઓ પર પત્થરમારો કરવાના વીડિયોની શું છે સચ્ચાઈ? અહીં જાણો ADGP કાશ્મીરે શું કહ્યુ?
શ્રીનગર(જમ્મુ કાશ્મીર): કાશ્મીરના અધિક પોલીસ મહાનિર્દેશક(ADGP) વિજય કુમારે સ્પષ્ટ કર્યુ કે અમરનાથ યાત્રીઓ પર પત્થરમારો કરવાની કોઈ ઘટના બની નથી અને પત્થરમારો કરવાનો વાયરલ થયેલો વીડિયો ભ્રામક અને પાયાવિહોણો છે. જેનો હેતુ જમ્મુ અને કાશ્મીર પોલીસની છબી ખરાબ કરવાનો છે.
કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે અગાઉ 15 જુલાઈના રોજ પોનીવાળાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેના પરિણામે ટટ્ટુ વાળા અને કેટલાક યાત્રીઓને સામાન્ય ઈજા થઈ હતી. પરિસ્થિતિને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી.

નોંધનીય છે કે આ પહેલા બુધવારે, જમ્મુ અને કાશ્મીર પ્રશાસને, એક સત્તાવાર નિવેદનમાં, બદમાશો દ્વારા અમરનાથ યાત્રીઓ પર પથ્થરમારો કરવાના ભ્રામક આરોપોને રદિયો આપ્યો હતો.
પ્રશાસને કહ્યું કે પોનીવાળાઓ વચ્ચેના નાના વિવાદને કારણે આ ઘટના બની હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પ્રશાસને શ્રી અમરનાથ યાત્રાના યાત્રિકોની સુવિધા માટે યાત્રાના સુચારુ સંચાલન માટે તમામ વ્યવસ્થા કરી છે."
નિવેદનમાં આગળ જણાવ્યું હતુ કે, "સમુદાયો વચ્ચે વિભાજન કરવા, વિસંગતતા ફેલાવવા અને શાંતિપૂર્ણ યાત્રાને ખલેલ પહોંચાડવાના દૂષિત ઈરાદાથી આ વીડિયો બનાવવામાં આવ્યો છે. શ્રી અમરનાથજીની પવિત્ર ગુફાની યાત્રાએ નીકળેલા તમામ યાત્રીઓએ સેવાઓની સારી ગુણવત્તાની સાક્ષી આપી છે અને નિર્વિવાદ યાત્રાની પ્રશંસા કરી છે. "
તમને જણાવી દઈએ કે વાર્ષિક અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ હતી. 62 દિવસની યાત્રા 31 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
