SITના રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો, હિંદુત્વવાદી સંગઠન દેશભરમાં ચલાવી રહ્યા હતા આતંકી કેમ્પ
SITએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે માલેગાંવ ધમાકા સાથે જોડાયેલા હિંદુત્વવાદી સંગઠન અભિનવ ભારત દેશભરમાં અલગ અલગ સ્થળોએ આતંકી કેમ્પ ચલાવી રહ્યા હતા.
કર્ણાટક પોલિસની SIT તપાસમાં સનસનીખેજ ખુલાસો થયો છે. SITએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે માલેગાંવ ધમાકા સાથે જોડાયેલા હિંદુત્વવાદી સંગઠન અભિનવ ભારત દેશભરમાં અલગ અલગ સ્થળોએ આતંકી કેમ્પ ચલાવી રહ્યા હતા અને અહીં લોકોને બોમ્બ બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. SITએ દાવો કર્યો છે કે આ સંગઠન ખુફિયા રીતે લોકોને બોમ્બ બનાવવાની ટ્રેનિંગ આપી રહ્યુ હતુ. જોવાની વાત એ છે કે SITએ આ દાવો પત્રકાર ગૌરી લંકેશની હત્યાના કેસમાં રજૂ કરેલ પોતાની ક્લોઝર રિપોર્ટમાં કર્યો છે.

ક્લોઝર રિપોર્ટમાં કર્ણાટક પોલિસની SITએ દાવો કર્યો છે કે અભિનવ ભારતના ચાર સભ્યો ગાયબ છે અને તે 2011-1016 બાદ દેશના અલગ અલગ ભાગોમાં સનાતન સંસ્થા સાથે સંબંધિત ઘણા લોકોને બોમ્બ બનાવવાની ટ્રેનિંગ આપી રહ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે 2006થી 2008 વચ્ચે સમજોતા બ્લાસ્ટ, મક્કા મસ્જિદ ધમાકો, અજમેર દરગાહ ધમાકો અને માલેગાંવ બ્લાસ્ટથી આ લોકો સાથે તાર જોડાયા છે. તમને જણાવી દઈએ કે માલેગાંવ ધમાકાની આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આ વખતે મધ્ય પ્રદેશના ભોપાલથી લોકસભા ચૂંટણી લડી રહી છે. તે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ સામે મેદાનમાં છે.
ઉલ્લેખનીય છે કે માલેગાંવ બ્લાસ્ટમાં કુલ 13 લોકો આરોપી છે જેમાં સાધ્વી પ્રજ્ઞાનું નામ પણ શામેલ છે. આમાં અભિનવ ભારતના પણ બે સભ્યોના નામ છે. રામજી કલસાંગરા અને સંદીપ ડાંગેનું પણ નામ આમાં શામેલ છે. કોર્ટે બંનેને આ બંનેને આ કેસમાં ગુનાહિત જાહેર કર્યા છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પોતાને આ કેસમાં નિર્દોષ ગણાવ્યા છે. તેમણે શહીદ હેમંત કરકરે પર આરોપ લગાવ્યો હતો કે તેમણે તેમને ઘણી તકલીફો આપી હતી. આટલુ જ નહિ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યુ હતુ કે તેમના શ્રાપથી જ હેમંત કરકરે આતંકી હુમલામાં માર્યાગયા હતા. જો કે વિવાદ વધ્યા બાદ તેમણે પોતાના નિવેદન પર માફી માંગી લીધી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
