Karnataka New CM : સિદ્ધારમૈયાની 5 ખાસિયતો, જેના કારણે મળી CMની ખુરશી
Karnataka New CM : કોંગ્રેસ પાર્ટી દ્વારા કર્ણાટકના મુખ્યમંત્રીના નામ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાર્ટી હાઇ કમાન્ડ દ્વારા સિદ્ધારમૈયા પર ભરોસો મુકીને તેમને મુખ્યમંત્રી બનાવ્યા છે. એટલે કે, સિદ્ધારમૈયા આ વખતે કોંગ્રસ પાર્ટી તરફથી કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી બનશે.
સિદ્ધારમૈયા 20 મેના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જ્યારે ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ પદથી સંતોષ માનવો પડ્યો હતો. આ અહેવાલમાં જાણીશું કે, સિદ્ધારમૈયાના એવા કઇ 5 ખાસિયતો છે, જે ડીકે શિવકુમાર પર ભારે પડ્યા છે.

સિદ્ધારમૈયાની 5 ખાસિયતો
સોશિયલ એન્જિનિયરિંગના મામલે સિદ્ધારમૈયાને કોંગ્રેસના નંબર વન નેતા માનવામાં આવી રહ્યા છે. તેમને કર્ણાટકમાં અહિંદા સમીકરણના પિતા કહેવામાં આવે છે. અહિંદા એટલે અમિનિત્યતારુ (લઘુમતી), હિંદુલિદ્વારુ (પછાત વર્ગ) અને દલિતરુ (દલિત વર્ગ). અહિંદા સમીકરણ હેઠળ સિદ્ધારમૈયાનું ધ્યાન રાજ્યની 61 ટકા વસ્તી પર હતું.
સિદ્ધારમૈયા સામે ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી. તેમને રાજ્યના સૌથી સ્વચ્છ નેતા માનવામાં આવે છે.
મુસ્લિમ સમુદાયમાં સિદ્ધારમૈયાને સારા ફોલોવર્સ માનવામાં આવે છે. કારણ કે 2013થી 2018 સુધી જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ટીપુ સુલતાનને કર્ણાટકમાં હીરો તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
કુર્બા જાતિ પર સિદ્ધારમૈયાની સંપૂર્ણ પકડ છે. તે રાજ્યમાં ત્રીજા નંબરની સૌથી મોટી વસ્તી ધરાવે છે. આ ઉપરાંત સિદ્ધારમૈયા રાજ્યના મોટા ઓબીસી નેતા માનવામાં આવે છે.
લગભગ 60 ટકા ધારાસભ્યો પણ સિદ્ધારમૈયાને સમર્થન આપતા જોવા મળ્યા હતા. 2013માં, જ્યારે મલ્લિકાર્જુન ખરગેને સીએમ બનાવવાનો મામલો સામે આવ્યો, ત્યારે સિદ્ધારમૈયાએ લગભગ 70 ટકા ધારાસભ્યોને પોતાના પક્ષમાં લીધા, જેના પરિણામે કોંગ્રેસે જેડીએસમાંથી આવેલા સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી પદ આપ્યું હતું.
DK શિવકુમાર મુખ્યમંત્રીની રેસમાં કેમ પાછળ રહ્યા?
ડીકે શિવકુમાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર સહિત 19 કેસ નોંધાયેલા છે. તેઓ જેલમાં પણ ગયા છે. તેમની સામે હજુ પણ ઘણા કેસોની તપાસ ચાલી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે તેમને મુખ્યમંત્રી બનાવ્યા હોત, તો ભાજપ તેને મુદ્દો બનાવી શક્યું હોત.
નવી દિલ્હીમાં રેડ દરમિયાન ચાર જગ્યાઓમાંથી 8.5 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા, જેનો આરોપ સીધો ડીકે શિવકુમાર પર લગાવવામાં આવ્યો હતો. IT વિભાગને નવી દિલ્હીના સફદરજંગ એન્ક્લેવમાં કથિત રીતે શિવકુમાર સાથે જોડાયેલા ત્રણ ફ્લેટ પણ મળ્યા હતા.
ડીકે શિવકુમાર પાસે કોઈ વહીવટી અનુભવ નથી, તેથી જ કોંગ્રેસ આ સંકટની સ્થિતિમાં કોઈ જોખમ લેવા માંગતી નથી.
CBIના નવા ડાયરેક્ટર પ્રવીણ સૂદ ડીકેના મુખ્યમંત્રી બનતાની સાથે જ ફાઈલ ખોલી શકે છે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
