કર્ણાટક જ નહિ, 2019માં પણ મોદી-શાહને હેરાન કરી શકે છે કોંગ્રેસ-જેડીએસ
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે પ્રદેશમાં સરકાર બનાવવા અંગે જંગ જામી છે. ભાજપે કર્ણાટક ચૂંટણીમાં વધુ સીટો જીતી છે તેમછતાં તે સત્તાથી દૂર છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે પ્રદેશમાં સરકાર બનાવવા અંગે જંગ જામી છે. ભાજપે કર્ણાટક ચૂંટણીમાં વધુ સીટો જીતી છે તેમછતાં તે સત્તાથી દૂર છે. હાલમાં રાજ્યમાં સરકાર બનાવવા માટે જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે જેડીએસને સમર્થન આપવાનું એલાન કરીને ભાજપને રોકવાની કોશિશ કરી છે. જો કે હજુ પણ કર્ણાટકમાં સરકાર બનાવવા માટે રાજ્યપાલ દ્વારા કોઈને પણ આમંત્રિત કરવામાં આવ્યા નથી. વળી, જો કોંગ્રેસ અને જેડીએસના મતની ટકાવારીની વાત કરીએ તો આ બંનેએ સારો એવો વોટ શેર મેળવી લીધો છે.

ભાજપ માટે ખતરાની ઘંટી
આ આંકડો દર્શાવે છે કે જો આ બંને પક્ષોએ ચૂંટણી પહેલા ગઠબંધન કર્યુ હોત તો કહાની કંઈક અલગ જ હોત. તેના પરિણામે આ બંને મળીને ભાજપને માત્ર 68 સીટો પર રોકી શકતા હતા. વળી, આ બંનેના ગઠબંધનને લગભગ 156 સીટો મળી શકતી હતી. જો બધુ બરાબર રહ્યુ તો કોંગ્રેસ અને જેડીએસનું આ ગઠબંધન લોકસભા ચૂંટણી 2019 માં પણ ચાલુ રહેશે કે જે ભાજપ માટે ખતરાની ઘંટી બની શકે છે.

ગઠબંધનને કારણે લોકસભા ચૂંટણીમાં ભાજપને થઈ શકે છે મોટુ નુકશાન
કેટલાક જાણકારો મુજબ જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનથી મળેલી ટકાવારી પર જો લોકસભા ક્ષેત્રના હિસાબે વિશ્લેષણ કરીએ તો ભાજપને કર્ણાટકમાં 28 માંથી માત્ર 6 સીટોથી જ સંતોષ માનવો પડશે. આ 2014 ની ચૂંટણીઓ બાદ ભાજપ માટે બહુ મોટો ઝટકો બની શકે છે જ્યાં ભાજપે 17 સીટો પર કબ્જો જમાવ્યો હતો.

લોકસભા ચૂંટણી 2019 માં ગઠબંધનના ખાતામાં 22 સીટો જઈ શકે
લોકસભા ચૂંટણી 2019 માં કર્ણાટકના બગલકોટ, હોનેરી, ધારવાડ, ઉડ્ડપી-ચિકમંગલૂર, દક્ષિણ કન્નડ અને દક્ષિણ બગલકોટમાં ભાજપને જીત મળી શકે છે. આ અનુસાર ભાજપ હૈદરાબાદ-કર્ણાટક અને દક્ષિણ કર્ણાટકમાં કોઈ સીટ જીતવામાં સફળ નહિ થઈ શકે. જ્યારે હાલના મતોની ટકાવારીના આધાર પર કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના ખાતામાં 22 સીટો જઈ શકે છે.

ભાજપને કમજોર સમજવાની ભૂલ કરી જેડીએસ-કોંગ્રેસે
વાસ્તવમાં કર્ણાટકની સ્થિતિ ઓછાવત્તા અંશે ઉત્તરપ્રદેશ જેવી છે જ્યાં સમાજવાદી પક્ષ અને બસપાએ ભાજપની તાકાતને ઓછી આંકી અને અલગ-અલગ ચૂંટણીઓ લડી. તે જ રીતે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસે નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વને નજરઅંદાજ કરીને અલગ-અલગ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો અને તેનું પરિણામ એ આવ્યુ કે ભાજપ સૌથી મોટો પક્ષ બનીને આવ્યુ. પરંતુ હવે આ બંને વિરોધી પક્ષો ભાજપને રોકવા માટે ગઠબંધન કરીને સાથે આવી ગયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
