Karnataka Election : કર્ણાટકના મુખ્યમંત્રીઓ વિશે રોચક વાતો, જાણો તમામ વિગતો

Karnataka election : કર્ણાટકમાં વર્ષ 1988 પછી અત્યાર સુધીમાં માત્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે સિદ્ઘારમૈયા જ માત્ર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા છે. આ સિવાય કોઇપણ મુખ્યમંત્રી પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નથી.

સિદ્ધારમૈયાએ 13 મે, 2013 થી 15 મે, 2018 સુધી મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. આ પહેલા જનતા પાર્ટીના નેતા રામકૃષ્ણ હેગડે પાંચ વર્ષ (10 જાન્યુઆરી 1983 થી 13 ઓગસ્ટ 1988 સુધી) મુખ્યમંત્રી હતા. તેઓ કુલ 5 વર્ષ અને 216 દિવસ મુખ્યમંત્રી રહ્યા હતા.

Karnataka election

એસ. નિંજલિગપ્પા કર્ણાટકમાં પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા પ્રથમ મુખ્યમંત્રી હતા. તેમનો કાર્યકાળ 21 જૂન, 1962 થી 29 મે, 1968 સુધીનો હતો. જે પછી માત્ર ડી દેવરાજ ઉર્સ, રામકૃષ્ણ હેગડે અને સિદ્ધારમૈયા જ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા છે.

કોણ કેટલી વખત બન્યું મુખ્યમંત્રી - એસ. નિંજલિગપ્પા 1 નવેમ્બર, 1956 થી 16 મે, 1958 અને ફરીથી 21 જૂન 1962 થી 29 મે 1968 સુધી બે વાર કર્ણાટકના મુખ્યપ્રધાન હતા. ડી દેવરાજ ઉર્સ બે વાર (20 માર્ચ 1972-31 ડિસેમ્બર 1977 અને 28 ફેબ્રુઆરી 1978-12 જાન્યુઆરી 1980), વીરેન્દ્ર પાટીલ બે વાર (29 મે 1968-18 માર્ચ 1971, 30 નવેમ્બર 1989-10 ઓક્ટોબર 1990), એચ ડી કુમારસ્વામી (3 ફેબ્રુઆરી 2006-8 ઓક્ટોબર 2007, 23 મે 2018-36 જુલાઈ 2019) મુખ્યપ્રધાન હતા.

BS યેદિયુરપ્પા કર્ણાટકના મહત્તમ ચાર ટર્મ માટે મુખ્યમંત્રી હતા (12 નવેમ્બર 2007 - 19 નવેમ્બર 2007, 30 મે 2008 - 5 ઓગસ્ટ 2011, 17 મે 2018 - 23 મે 2018, 26 જુલાઈ 2019 - 28 જુલાઈ).

કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન - કર્ણાટકમાં અત્યાર સુધીમાં છ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. કર્ણાટકમાં પહેલીવાર 19 માર્ચ, 1971ના રોજ છેલ્લી વખત 20 નવેમ્બર, 2007ના રોજ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.

મહત્વપૂર્ણ મુદ્દાઓ

  • વીરેન્દ્ર પાટીલના બે કાર્યકાળ વચ્ચે સૌથી વધુ 17 વર્ષનું અંતર હતું.
  • બી ડી જટ્ટીએ કર્ણાટકના પાંચમા મુખ્યમંત્રી હોવા ઉપરાંત દેશના પાંચમા ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.
  • કર્ણાટકના 14મા મુખ્યમંત્રી એચડી દેવગૌડા બાદમાં દેશના વડાપ્રધાન બન્યા.
  • એચડી દેવગૌડા અને એસઆર બોમાઈ પછી તેમના પુત્રો એચડી કુમારસ્વામી અને બસવરાજ બોમાઈ પણ મુખ્યપ્રધાન બન્યા.

કર્ણાટકના પ્રથમ મુખ્યમંત્રી - કર્ણાટકના પ્રથમ મુખ્યમંત્રી કે. ચેંગલરાય રેડ્ડી છે. તેઓ કોંગ્રેસ પાર્ટીના નેતા હતા. તે સમયે કર્ણાટક મૈસુર રાજ્ય તરીકે જાણીતું હતું. રેડ્ડી 25 ઓક્ટોબર 1947 થી 30 માર્ચ 1952 સુધી મુખ્યમંત્રી હતા. ત્યારથી અત્યાર સુધીમાં કુલ 23 મુખ્યમંત્રી બની ચૂક્યા છે.

કર્ણાટકની રચના - કર્ણાટકની રચના 25 ઓક્ટોબર, 1947ના રોજ થઈ હતી. તે સમયે તે મૈસુર રાજ્ય તરીકે જાણીતું હતું. 1 નવેમ્બર, 1973ના રોજ તેનું નામ કર્ણાટક રાખવામાં આવ્યું. ત્યારે મુખ્યમંત્રી ડી દેવરાજ ઉર્સ હતા.

કર્ણાટકના સૌથી ઓછા કાર્યકાળવાળા મુખ્યમંત્રી - ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપના વરિષ્ઠ નેતા BS યેદિયુરપ્પા સૌથી ટૂંકા કાર્યકાળ (17 મે 2018-23 મે 2018) સાથે કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ ચાર વખત કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

સૌથી લાંબો સમય માટે મુખ્યમંત્રી - ડી દેવરાજ ઉર્સ, કર્ણાટકના આઠમા મુખ્યપ્રધાન, સૌથી લાંબા સમયગાળા (સાત વર્ષ) માટે મુખ્ય પ્રધાન હતા. તેઓ પ્રથમ વખત 20 માર્ચ 1972 થી 31 ડિસેમ્બર 1977 સુધી અને બીજી વખત 28 ફેબ્રુઆરી 1978 થી 7 જાન્યુઆરી 1980 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X