કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાયા ભરતી
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ છે.
બેંગલુરુઃ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ છે. જે બાદ શુક્રવારે તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા બે દિવસથી બીએસ યેદિયુરપ્પાને તાવની ફરિયાદ છે. સતત તાવ રહ્યા બાદ તેમને આજે બેંગલુરુની રમૈયા મેમોરિયલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે તાવ આવ્યા બાદ બે દિવસ પહેલા બીએસ યેદિયુરપ્પાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. જો કે તેમનો તાવ ચાલુ રહ્યો અને આજે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. એક વાર ફરીથી તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.
ગયા વર્ષે પણ કોરોના સંક્રમિત થઈ ગયા હતા યેદિયુરપ્પા
78 વર્ષના બીએસ યેદિયુરપ્પા ગયા વર્ષે કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ઓગસ્ટમાં કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા બાદ યેદિયુરપ્પાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. યેદિયુરપ્પા સાથે-સાથે તેમની દીકરી પણ કોરોનાથી સંક્રમિત જોવા મળી હતી. તેમને પણ પિતાની સાથે બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. યેદિયુરપ્પા અને તેમની દીકરી સંક્રમણથી રિકવર થયા બાદ હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
