કેજરીવાલે કૈલાશ ગહેલોતને બનાવ્યા નાણામંત્રી, સોંપ્યા આ મહત્વના મંત્રાલય, રાજકુમાર સંભાળશે શિક્ષણ સહિત આ વિભાગ
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કેબિનેટે મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી મંત્રી કૈલાશ ગહેલોતને સોંપી છે.
દિલ્લીની આમ આદમી પાર્ટી(AAP)ની સરકારમાંથી ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને મંગળવારે રાજીનામુ આપી દીધુ. સીએમ કેજરીવાલે બંને મંત્રીઓના રાજીનામા એલજી વિનય સક્સેનાને મોકલ્યા હતા. એલજીએ તેને રાષ્ટ્રપતિને મોકલી દીધા. રાષ્ટ્રપતિએ બંનેના રાજીનામા સ્વીકારી લીધા છે. કેજરીવાલ સરકારના આ બે મંત્રીઓના રાજીનામા બાદ દિલ્લી સરકારના 18 વિભાગોનો પોર્ટફોલિયો ખાલી થઈ ગયો ત્યારબાદ કેજરીવાલ કેબિનેટે મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી મંત્રી કૈલાશ ગહેલોતને સોંપી છે.

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને દિલ્લી કેબિનેટમાંથી રાજીનામુ આપ્યા બાદ મંત્રી કૈલાશ ગેહલોતને નાણા, આયોજન, જાહેર બાંધકામ વિભાગ, પાવર, ગૃહ, શહેરી વિકાસ, સિંચાઈ અને પૂર નિયંત્રણ અને જળ વિભાગો આપવામાં આવ્યા છે. બીજી તરફ મંત્રી રાજ કુમાર આનંદને શિક્ષણ, જમીન અને મકાન, તકેદારી, સેવા, પ્રવાસન, કલા સંસ્કૃતિ અને ભાષા, શ્રમ, રોજગાર, આરોગ્ય અને ઉદ્યોગ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ભ્રષ્ટાચારના આરોપોને કારણે દિલ્લીના કેબિનેટ મંત્રીઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીએ આ બે નવા મંત્રીઓની નિમણૂક કરી છે. આ મંત્રીઓના નામની જાહેરાત કરતા પહેલા રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યુ હતુ કે નાના દિલ્લી કેબિનેટમાં મોટા ભાગના મહત્વના પોર્ટફોલિયો સિસોદિયા અને જૈન સંભાળતા હતા અને સરકારના કામમાં વિલંબ ન થાય તે માટે નવા મંત્રીઓની નિમણૂક જરૂરી હતી, તેથી આ જવાબદારી બે નવા મંત્રીઓને સોંપવામાં આવી રહી છે.
આપ પ્રવક્તા ભારદ્વાજે કેન્દ્ર પર વિકાસ માટે અથાગ મહેનત કરતી રાજ્ય સરકારોને નિશાન બનાવવાનો આરોપ લગાવીને પરિસ્થિતિને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યુ કે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન બંને તેમના જાહેર કાર્યો માટે વિશ્વભરમાં જાણીતા છે. આ જ કારણ છે કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે તેમને ખોટા કેસમાં નિશાન બનાવ્યા. ભારદ્વાજે કહ્યું, "આ સારો સંકેત નથી. સિસોદિયા અને જૈન ઈમાનદાર અને મહેનતુ મંત્રી છે અને આમ આદમી પાર્ટીના દરેક સભ્ય તેમની સાથે ઉભા છે."
તમને જણાવી દઈએ કે મનીષ સિસોદિયાએ દિલ્લી મંત્રીમંડળને આપેલા પોતાના રાજીનામામાં આરોપ લગાવ્યો કે ખોટા અને નિરાધાર આરોપો પર તેમની સામે ષડયંત્ર રચવામાં આવ્યુ છે, સત્ય સામે આવશે. તેમણે પૂરી ઈમાનદારી સાથે દિલ્લી સરકારના વિવિધ વિભાગો માટે કામ કર્યુ. તેમની સાથે લાખો બાળકોના આશીર્વાદ અને તેમના માતાપિતાનો પ્રેમ છે. સૌથી મોટી વાત એ છે કે દિલ્લીમાં શિક્ષણ ક્રાંતિની શરુઆત કરનારા હજારો શિક્ષકોના આશીર્વાદ છે. મારા પર લગાવેલા આરોપીની સચ્ચાઈ સામે આવશે અને એ સાબિત થશે કે એ ખોટા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
