રાજીવ ગાંધીના હત્યારાઓને ફાંસી ન આપો: પૂર્વ ન્યાયાધીશ
તિરૂવનંતપુરમ, 25 ફેબ્રુઆરી: રાજીવ ગાંધીના હત્યારાઓને મૃત્યુંદંડ સંભળાવનારી કોર્ટની એક પીઠના અધ્યક્ષ કે ટી થોમસે રવિવારે કહ્યું હતું કે આ કેસના આ ચાર આરોપીઓને ફાંસી આપવી ન જોઇએ.
કે ટી થોમસે કહ્યું હતું કે દોષી મુરૂગન, સંથન અને પેરારિવલન જેલમાં 22 વર્ષ ગુજારી ચૂક્યાં છે, માટે તેમને ફાંસી આપવાનો મતલબ એમ થશે કે એક ગુના માટે બે વાર સજા આપવી. ત્રણેય કેદી તમિલનાડુના વેલ્લોર જેલમાં બંધ છે.
કે ટી થોમસે પત્રકારોને જણાવ્યું હતું કે જેલમાં 22 વર્ષ વિતાવ્યા બાદ જો દોષીઓને મોતની સજા આપવામાં આવે છે તો આ એક રીતે એક ગુનામાં બે વાર સજા સંભળાવવા બરાબર ગણાશે. આ બંધારણ વિરૂદ્ધ છે. તેમને રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીને આ દોષીઓની દયાની અરજી રદ કરવાના નિર્ણય પર ફરીથી વિચારણા કરવાની નમ્ર અપીલ કરી છે.
કે ટી થોમસે કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ આ મુદ્દે ફરીથી વિચારણા કરવી જોઇએ, કારણે ત્રણેય આજીવન કારાવાસની સજાથી વધુ દિવસ સજા ભોગવી ચૂક્યાં છે. વર્ષ 1999માં સુપ્રીમ કોર્ટેની ત્રણ જજોની પીઠે મુરૂગન, સંથન, પેરારિવલન અને મુરૂગનની પત્ની નલિનીને મૃત્યુંદંડની સજા સંભળવી હતી. પીઠમાં ન્યાયાધીશ કે ટી થોમસ, ન્યાયમૂર્તિ ડીપી વાઘણ અને એસએસએમ કાદરી સામેલ હતા.

કે ટી થોમસે નલિનીને મૃત્યુદંડ સંભળાવવાની અસહમતિ દર્શાવી હતી. પછી રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે નલિનીની દયા અરજી મંજૂર કરી લીધી હતી અને તેમની સજાને આજીવન કારાવાસમાં ફેરવી દિધી હતી. પેરારિવલન અને મુરૂગન ભારતીય છે, તો બીજી સંથન શ્રીલંકાઇ નાગરિક છે.
તમિલ ટાઇગરની મહિલા આત્મધાતી ટુકડીએ 21 મે 1991ના રોજ ચેન્નઇ નજીક એક ચુંટણી રેલીમાં રાજીવ ગાંધીની હત્યા કરી હતી. ચારેય આરોપીઓ પર હત્યામાં મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજીવ ગાંધી હત્યાકાંડમાં તમિલ ટાઇગર પ્રમુખ વેલુપિલ્લૈ પ્રભાકરણ પણ વાંછિત હતો તેને 2009માં શ્રીલંકા મારી નાખવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
