Joshimath Disaster landslide : જોશીમઠમાં ભૂસ્ખલનમાં મંદિર વહી ગયું, 600 ઘરને અસર
જોશીમઠના મારવાડી વિસ્તારમાં સ્થિત મંદિર ભૂસ્ખલનને કારણે એક રેસિડેન્ટ ઇમારત પર પડ્યું હતું. જેના કારણે ઇમારતને નુકસાન પહોંચ્યું હતું.
Joshimath Disaster landslide : ઉત્તરાખંડના હિમાચ્છાદિત શહેર જોશીમઠમાં શુક્રવારની સાંજે ભૂસ્ખલનમાં મંદિર વહી જવાની ઘટના બની છે. જોશઈમઠમાં ભૂસ્ખલનની આ પહેલી મોટી ઘટના છે. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.

જોશીમઠના મારવાડી વિસ્તારમાં સ્થિત મંદિર ભૂસ્ખલનને કારણે એક રેસિડેન્ટ ઇમારત પર પડ્યું હતું. જેના કારણે ઇમારતને નુકસાન પહોંચ્યું હતું.

જોશીમઠના 600 ઘરોમાં તિરાડ
જોશીમઠમાં સ્થિતિ પહેલા કરતા વધુ ભયાનક બની છે. કડકડતી ઠંડીમાં લોકોને અહીં-તહીં પડાવ નાખીને રહેવાની ફરજ પડી રહી છે.
જોશીમઠમાં લગભગ 600 મકાનો અને અન્ય માળખામાં માટી ધસી પડવાને કારણે તિરાડો પડી ગઈ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીશનિવારના રોજ જોશીમઠની મુલાકાત લઈ શકે છે.
સીએમ ધામીએ અસરગ્રસ્ત પરિવારોને ખાલી કરાવવા અને કામચલાઉ આશ્રયસ્થાનોનોઆદેશ આપ્યો છે. ડોર ટુ ડોર સર્વે માટે જોશીમઠમાં નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

3 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત
જોશીમઠ નગરપાલિકા પ્રમુખે જણાવ્યું છે કે, 3000 થી વધુ લોકો અસરગ્રસ્ત છે. આ વસ્તીના 10 ટકાથી વધુ છે. રસ્તાઓ પર તિરાડો પડીરહી છે અને સતત પહોળી થઈ રહી છે.
મુખ્ય હિંદુ અને શીખ યાત્રાળુઓ માટે પ્રવેશ સ્થળ અને ચીન સાથેની ભારતની સરહદ નજીકનામુખ્ય લશ્કરી થાણાઓમાંનું એક છે.
આવી જ સમસ્યા નજીકના ઔલી શહેરમાં જોવા મળી રહી છે. તેના તમામ રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત હાઇડ્રોઇલેક્ટ્રિકપાવર પ્લાન્ટ અને ચાર ધામ રોડ સહિતની ચાલી રહેલી પરિયોજનાઓને રોકી દેવામાં આવી છે.
#WATCH | Uttarakhand: Due to a landslide in the Marwari area of Joshimath, a temple got damaged and fell on top of a residential building. The building was damaged. pic.twitter.com/MwIo34dyav
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 6, 2023
જેમના મકાનમાં તિરાડ પડી છે, તેમને ભાડા પેટે 4 હજાર મળશે
રાજ્ય સરકારે જણાવ્યું છે કે, જે લોકોના મકાનો પ્રભાવિત થયા છે, તેમને ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. આવા લોકોને મુખ્યમંત્રીરાહત ફંડમાંથી આવતા છ મહિના માટે દર મહિને 4000 રૂપિયા ભાડા તરીકે આપવામાં આવશે.
જોશીમઠમાં સાવચેતીના પગલા તરીકે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. ચમોલીનાચીફ ડેવલપમેન્ટ ઓફિસર એલએન મિશ્રાએ જણાવ્યું છે કે, આ વિસ્તારમાં જમીન ધસી જવાને કારણે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી બની ગયુંછે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
