રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવાનો જયલલિતાનો નિર્ણય
નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના ષડયંત્રમાં સાત દોષિઓને તમિલનાડુ સરકારે મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. જેમાં પેરારિવલન, મુરુગન, સંથનનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે ગઇકાલે જ આ ત્રણેયને ફાંસીની સજાને જનમટીપમાં ફેરવી હતી. બાકીના ચાર દોષીઓના નામ રોબર્ટ, રાજકુમાર, નલિનિ અને રવિચંદ્રન છે.
મંગળવારે સુપ્રીમ કોર્ટે ફાંસીમાં મોડું થવાને આધાર બનાવીને સંથન, મુરુગન અને પેરારિવલનની ફાંસીને ઉંમરકેદમાં ફેરવી નાખી હતી. કોર્ટના આ નિર્ણયને ધ્યાનમાં રાખતા તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાએ સાતેય દોષીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. જયા સરકારે જણાવ્યું કે કેન્દ્ર ત્રણ દિવસની અંદર આ અંગે નિર્ણય લઇ લેશે અને સાતેય દોષીઓને મુક્ત કરી દેવામાં આવશે.

આ સમાચારના સામે આવ્યા બાદ સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયે એકતરફી નિર્ણય પર વાંધો ઉઠાવ્યો, પરંતુ રાજ્ય સરકારે ત્યારબાદ કેન્દ્રને એક પત્ર પાઠવ્યો અને જણાવ્યું કે તેઓ આ નિર્ણય પર મંજૂરીની મોહર લગાવે. રાજ્ય સરકારે આના માટે કેન્દ્ર સરકારને 3 દિવસનો સમય આપ્યો છે.
મુક્ત કરવામાં આવનાર દોષીઓમાં મહિલા નલિની શ્રીહરનનો પણ સમાવેશ થાય છે, જે સુપ્રીમ કોર્ટથી રાહત મેળવનાર ત્રણમાંથી એક હત્યારા મુરુગનની પત્ની છે. નલિનીની ફાંસીની સજાને પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની દખલગીરીથી જનમટીપમાં પરિવર્તિત કરવામાં આવી ચૂકી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
