કલમ 370, જેને નહેરૂ અને સરદાર પટેલની મિત્રતામાં પાડી તિરાડ
બેંગ્લોર, 29 મે: બંધારણની કલમ 370 એટલે કોઇપણ રાજ્યને મળનાર સ્પેશિયલ દરજ્જો. એક એવો દરજ્જો જ્યાં ના તો વિધાસભા પાંચ વર્ષની હોય છે, ના કેન્દ્ર સરકારના નિયમ લાગૂ થાય છે, ના કેગની ઇન્કવાયરી થશે, ન આરટીઆઇ લાગૂ થશે અને ના તો આ રાજ્યમાં રાષ્ટ્રધ્વજના અપમાન જેવો કિ નિયમ લાગૂ પડે છે. જમ્મૂ-કાશ્મીરમાં આ કલમ લાગૂ રહે અથવા પછી તેને દૂર કરવામાં આવે, તેના પર ગત બે દિવસોથી વિવાદ ચાલુ છે.
બંધારણના નિર્માતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર પોતે આ કલમ વિરૂદ્ધ હતા અને તે ઇચ્છતા ન હતા કે જમ્મૂ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. ઉમર અબ્દુલ્લાહએ એમ કહીને કે જો કલમ 370ને દૂર કરવામાં આવે તો પછી તેનો અર્થ સ્પષ્ટ છે કે કાશ્મીર ભારતનો ભાગ નથી.
આજે જ્યારે બંધારણના આ સૌથી મહત્વપૂર્ણ સેક્શનનો ઉલ્લેખ છેડ્યો છે તો એ જાણવું જરૂરી છે કે આ આર્ટિકલના લીધે જ પંડિત જવાહર લાલ નેહરૂ અને લોહપુરૂષ સરદાર વલ્લભ ભાઇ પટેલની મિત્રતામાં તિરાડ આવી ગઇ હતી. ફક્ત એટલું જ નહી 60ના દાયકામાં ખુદ પંડિત જવાહર લાલ નહેરૂએ કહ્યું હતું કે તેને હટાવવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે અને જલદી જ પ્રક્રિયા પુરી કરી લેવામાં આવશે. આગળની સ્લાઇડ્સમાં જોઇએ કે કેવી રીતે જવાહર લાલ નહેરથી માંડીને સરદાર પટેલ અને ગુલઝારી લાલ નંદાએ આ ખાસ કાનૂન પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

ગણાવી હતી કામચલાઉ વ્યવસ્થા
દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરૂએ આર્ટિકલ 370ને એક 'કામચલાઉ વ્યવસ્થા' તરીકે ગણાવી હતી. 27 નવેમ્બર 1963ના રોજ તેમણે લોકસભામાં નિવેદન આપ્યું હતું કે કલમ 370ને ખતમ કરવા માટે પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ટૂંક સમયમાં જ તેને ખતમ કરી દેવામાં આવશે.

ગણાવી હતી અસરકારક
પંડિત જવાહર લાલ નહેરૂના મોત બાદ કાર્યવાહક વડાપ્રધાનમંત્રી બનેલા ગુલઝારી લાલ નંદાએ ચાર ડિસેમ્બર 1964ના રોજ લોકસભામાં ભાષણ આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે તમે આર્ટિકલ 370ને રાખે અથવા દૂર કરી દે, પરંતુ આ પોતાની અસર બતાવી ચૂકી છે.

હંમેશાથી તેના વિરૂદ્ધ હતા
સરદાર વલ્લભભાઇ પટેલ અને જવાહર લાલ નહેરૂના સંબંધો વચ્ચે આ નિયમનાના લીધે ખટાસ આવી ગઇ હતી. જો કે સરદાર પટેલ આ ધારાને લાગૂ કરવાના સખત વિરૂદ્ધમાં હતા પરંતુ એન ગોપાલસ્વામી અયંગરના કહેવા પર તેને પાસ કરવામાં આવી હતી.

ક્યારેય નહી આપું મંજૂરી
ઉમર અબ્દુલ્લાહના દાદા અને કાશ્મીરના શાસક રહી ચૂકેલા ડૉક્ટર શેખ અબ્દુલ્લાહ આર્ટિકલ 370ના બાબત જ્યારે ભારતીય બંધારણના નિર્માતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પાસે પહોચ્યાં તો તેમણે તેની મંજૂરી આપવાની સ્પષ્ટ મનાઇ કરી દિધી. તેમણે કહ્યું હતું કે આ નિયમ ભારતની સ્થિરતા માટે ખતરનાક હશે. એટલા માટે ક્યારેય પણ તેની મંજૂરી આપીશ નહી.

આ ભેદભાવ કેમ
17 ઓક્ટોબર 1949ના રોજ કાશ્મીરના એક મહાન ચિંતક અને કવિ મૌલાના હસરત મોહીનીએ બંધારણની સભાને પ્રશ્ન કર્યો હતો કે આ બંધારણને લાગૂ કરી કાશ્મીર સાથે ભેદભાવ કેમ કરવામાં આવી રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
