ભારે વરસાદને કારણે ઝેલમ નદી છલકાઈ, અમરનાથ યાત્રા સ્થગિત
મૂસળધાર વરસાદને કારણે શુક્રવારે બીજા દિવસે પણ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી. શનિવારે એટલે કે આજે પણ શ્રધ્ધાળુઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 20 હજારથી વધુ યાત્રીઓ ફસાયેલા છે.
જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. મૂસળધાર વરસાદને કારણે શુક્રવારે બીજા દિવસે પણ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી. શનિવારે એટલે કે આજે પણ શ્રધ્ધાળુઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કારણકે હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે. 20 હજારથી વધુ યાત્રીઓ ફસાયેલા છે. વરસાદના કારણે ઝેલમ નદી છલકાઈ રહી છે. અનંતનાગ જિલ્લામાં આ નદી જોખમ સ્તરથી 21 ફૂટ ઉપર વહી રહી છે. વધુ વરસાદને કારણે પહેલગામ રૂટ પર સતત ભેખડો ધસી પડવાના સમાચાર આવી રહ્યા છે. ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. વળી, આજે શ્રીનગરમાં ખરાબ હવામાનને કારણે બધી શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે.

ઝેલમ 13.34 ફૂટ ખતરાના નિશાનથી ઉપર
પ્રશાસને વિસ્તારમાં અધિકારીઓને આ વિશે ચેતવણી જારી કરી છે. રામ મુન્શી બાગમાં ઝેલમ 13.34 ફૂટ ખતરાના નિશાનથી ઉપર વહી રહી હતી. દક્ષિણ કાશ્મીરમાં પૂરના પ્રકોપને જોતા અધિકારીઓને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યુ છે. જમ્મુ કાશ્મીરમાં રાજધાની શ્રીનગરમાં શુક્રવારે 12.6 મીમી (8.30 સવારે) વરસાદ નોંધવામાં આવ્યો. વિસ્તારમાં પાણીનું સ્તર વધી ગયુ છે. એક અધિકારીએ જણાવ્યુ તે પહેલગામમાં હજુ સુધી 27.8 મીમી વરસાદ થયો છે. જેની સીધી અસર અમરનાથ યાત્રા પર પડી છે. મૂસળધાર વરસાદ અને લપસણી જમીનના કારણે શુક્રવારે પણ અમરનાથા રોકી દેવામાં આવી. વળી, કેટલાક રિપોર્રટ્સમાં કહેવામાં આવ્યુ કે ખરાબ હવામાનના કારણે લગભગ ચાર હજારથી વધુ શ્રધ્ધાળુ દર્શન કર્યા વિના જ પાછા આવી ગયા છે. જો કે, પ્રશાસને આ વિશે કોઈ અધિકૃત પુષ્ટિ કરી નથી.

2294 શિવભક્તોએ કર્યા બાબા બર્ફાનીના દર્શન
પહેલેથી રવાના થયેલા 1287 શ્રધ્ધાળુઓએ શુક્રવારે બાબા બર્ફાનીના દર્શન કર્યા. મળતી માહિતી મુજબ હજુ સુધી 2294 શિવભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. પરંતુ બીજા લોકો હજુ પણ ખરાબ હવામાનના કારણે રાહ જોવી પડી શકે છે.

ખરાબ હવામાનના કારણે વચમા જ રોકાયા લોકો
શુક્રવારે જમ્મુથી રવાના થયેલા ત્રીજા જૂથમાં 2332 પુરુષ અને 544 મહિલાઓ શામેલ હતા. પરંતુ ખરાબ હવામાનના કારણે આ લોકો આગળ વધી શક્યા નહિ અને 2876 શ્રધ્ધાળુઓ ઉધમપુરની ટેકરી સહિત અન્ય વિસ્તારોમાં રોકાઈ ગયા. ખરાબ હવામાનના કારણે ઘણા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

મૂસળધાર વરસાદને કારણે ટ્રેક લપસણો
આ પહેલા શુક્રવારે પહેલગામ-ચંદનવાડીથઈ સવારે 1263 યાત્રીઓ શેષનાગ સુધી મોકલવામાં આવ્યા હતા. વિસ્તારમાં મૂસળધાર વરસાદને કારણે હજારો યાત્રીઓને કેમ્પોમાં જ રોકી દેવામાં આવ્યા. વધુ વરસાદને કારણે ટ્રેક પણ ચીકણો થઈ જતા યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
Srinagar: Following heavy rainfall, Jhelum river crosses danger mark. All schools in Kashmir division are closed today in view of the inclement weather #JammuAndKashmir pic.twitter.com/7al2JAlEob
— ANI (@ANI) June 30, 2018
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
