પુંછઃ આતંકીઓ સાથે અથડામણમાં JCO અને એક જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે એનકાઉન્ટર થયુ.
પુંછઃ જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે એનકાઉન્ટર થયુ. મીડિયા રિપોર્ટસ મુજબ ભટાધોરિયાન વિસ્તારમાં ગુરુવારે રાતે સેનાની આતંકીઓ સાથે શરુ થયેલી અથડામણમાં એક જેસીઓ અને એક જવાન શહીદ થઈ ગયા છે. જો કે સેનાના અધિકારીના મોતની અધિકૃત પુષ્ટિ થઈ નથી. વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો.

ડિફેન્સ પીઆરઓએ જણાવ્યુ કે ગુરુવારે સેનાનો આતંકીઓ સાથે મુકાબલો થયો. આતંકીઓએ સાંજે ફાયરિંગ શરુ કરી દીધુ ત્યારબાદ આ તરફથી પણ જવાબ આપવામાં આવ્યો. બંને તરફથી ઘણી વાર સુધી ફાયરિંગ થયુ. ત્યારબાદ ફાયરિંગ બંધ કરી દેવામાં આવ્યુ પરંતુ રાતે ફરીથી ફાયરિંગ થયુ જેમાં જેસીઓ અને જવાન ઘાયલ થઈ ગયા. આ સાથે જ રાજૌરી-પુંછમાં ગાડીઓની અવરજવરને પણ રોકી દેવામાં આવી છે.
આ અથડામણ આતંકીઓના એ સમૂહો સાથે થઈ રહી છે જેમના હુમલામાં 10 ઓક્ટોબર મોડી રાતે સેનાના એક જેસીઓ સહિત 5 જવાન શહીદ થઈ ગયા હતા. સેના ચાર દિવસથી આ આતંકીઓનો પીછો કરી રહી છે. આતંકી ઉંચી પહાડીઓ અને જંગલોનો ફાયદો ઉઠાવીને સેનાને સતત હંફાવી રહ્યુ હતુ પરંતુ આજે સેનાનો સામનો આતંકીઓ સાથે થઈ ગયો. આખા વિસ્તારને ઘેરી રાખવામાં આવ્યો. જણાવવામાં આવ્યુ છે કે ત્રણ આતંકી છૂપાયા છે.
કેન્દ્રશાસિત પ્રદેશમાં છેલ્લા અમુક સમયથી આતંકી ઘટનાઓ ઘણી વધી ગઈ છે ત્યારબાદ સેના આતંકીઓ સામે ઑપરેશન ચલાવી રહી છે. આતંકીઓ સાથે બદલો લઈને માત્ર 24 કલાકની અંદર સુરક્ષાબળોએ છ આતંકીઓને ઠાર મારી દીધા. આમાંથી અમુક આતંકી સામાન્ય નાગરિકોને નિશાન બનાવનારામાં પણ શામેલ હતા. અનંતનાગમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો હતો જ્યારે બાંદીપોરામાં પણ એક આતંકીને ઠાર મારવામાં આવ્યો. વળી, શોપિયામાં કુલ ચાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા.
પોલિસે મંગળવારે જણાવ્યુ કે પુંછ જિલ્લામાં સુરક્ષા બળો પર હુમલામાં શામેલ આતંકવાદી બેથી ત્રણ મહિનાથી વિસ્તારમાં હતા. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકી ઘટના વધી ગઈ છે. સુરક્ષાબળોએ પણ માત્ર બે સપ્તાહમાં 10 આતંકવાદીઓ ઠાર માર્યા છે. બુધવારે સુરક્ષાબળોએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના હાઈ કમાન્ડર શમ સોફીને પુલવામાના ત્રાલમાં ઠાર મારવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
