જૈન મુનિ તરુણ સાગરના નિધન પર પીએમ મોદી સહિતના નેતાઓએ જતાવ્યો શોક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા રાજકીય નેતાઓએ જૈન મુનિ તરુણ સાગરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
જૈન મુનિ તરુણ સાગરનું આજે સવારે દિલ્હીમાં નિધન થઈ ગયુ છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા ત્યારબાદ તેમણે ખાવાપીવાનું પણ છોડી દીધુ હતુ. તેમના નિધનથી તેમના અનુયાયીઓમાં શોક છવાઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા રાજકીય નેતાઓએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટર પર મુનિ તરુણ સાગરને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા લખ્યુ કે તેમના આદર્શો અને સમાજમાં તેમના યોગદાન માટે હંમેશા તેમને યાદ કરવામાં આવશે. ગૃહમંત્રી રાજનાથ સિંહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ જૈન મુનિના નિધન પર સંવેદનાઓ વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ જૈન મુનિ તરુણ સાગરને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા લખ્યુ, ' મુનિ તરુણ સાગરજી મહારાજના અકાળે અવસાનથી ખૂબ દુઃખ થયુ. અમે તેમને હંમેશા સમૃદ્ધ આદર્શો, કરુણા અને સમાજમાં યોગદાન માટે યાદ કરીશુ. તેમની મહાન શિક્ષા લોકોને આગળ પર પ્રેરણા આપતી રહેશે. મારા વિચાર જૈન સમાજ અને તેમના અગણિત શિષ્યો સાથે છે.'
ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ જૈન મુનિના નિધન પર કહ્યુ કે તેઓ આનાથી સ્તબ્ધ છે. 'જૈન મુનિ શ્રદ્ધેય તરુણ સાગરજી મહારાજના અકાળે મહાસમાધિ લેવાના સમાચારથી હું સ્તબ્ધ છુ. તેઓ પ્રેરણાના સ્ત્રોત, દયાના તેમજ કરુણાના સાગર હતા. ભારતીય સંત સમાજ માટે તેમનું નિર્વાણ એક શૂન્યનું નિર્માણ કરી ગયુ છે. હું મુનિ મહારાજના ચરણોમાં પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છુ.'
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લખ્યુ, 'મુનિ તરુણ સાગરજી મહારાજના નિધનથી પીડા થઈ. તેમના આદર્શ અને શિક્ષણ હંમેશા લોકોને પ્રેરિત કરશે.' રમતગમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે પણ મુનિ સાગરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે લખ્યુ, 'મુનિશ્રી તરુણ સાગરજીના નિધન વિશે જાણીને દુઃખ થયુ. તેઓ એક પ્રેરણાદાયક આધ્યાત્મિક નેતા હતા. તેમને હંમેશા તેમના સમૃદ્ધ જ્ઞાન અને માનવીય દ્રષ્ટિકોણ માટે યાદ કરવામાં આવશે.'
સુરેશ પ્રભુએ મુનિ તરુણ સાગરના નિધનને વ્યક્તિગત નુકશાન ગણાવ્યુ. ટ્વિટર પર તેમણે લખ્યુ, ' તેઓ માત્ર 51 વર્ષના હતા. તેમનુ ટૂંકુ જીવન હંમેશા સમાજમાં તેમના સમૃદ્ધ યોગદાન માટે યાદ કરવામાં આવશે. આ મારા માટે વ્યક્તિગત નુકશાન છે. હું તેમને ખૂબ નજીકથી જાણતો હતો.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
