38 દિવસ વેંટીલેટર પર રહ્યા બાદ કોરોના દર્દીએ જીતી જંગ, ઘરે પાછો આવ્યો
માનવજીવન માટે કાળ બની ચૂકેલ આ કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે પશ્ચિમ બંગાળની રાજધાનીમાં ચિકિત્સકોએ એક ચમત્કાર કરી દીધો છે.
કોરોના વાયરસ સંક્રમણમાં દેશમાં રોજ મરનારની સંખ્યા સતત વધી રહી છે. માનવજીવન માટે કાળ બની ચૂકેલ આ કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે પશ્ચિમ બંગાળની રાજધાનીમાં ચિકિત્સકોએ એક ચમત્કાર કરી દીધો છે. કોલકત્તામાં છેલ્લા 38 દિવસથી વેંટીલેટર પર રહ્યા બાદ એક 52 વર્ષીય દર્દીએ કોરોનાને મ્હાત આપીને જિંદગીની જંગ જીતી લીધી છે. વેંટીલેટર પર ગયા બાદ આ વ્યક્તિનો જીવ ધરતીના ભગવાન કહેવાતા ડૉક્ટરોએ બચાવીને તેમને નવુ જીવનદાન આપ્યુ છે.

માર્ચમાં હોસ્પિટલમાં કરાવ્યો હતો ભરતી
તમને જણાવી દઈએ કે આ 52 વર્ષીય વ્યક્તિને માર્ચમાં કોલકત્તાની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. જૂના સામાજિક કાર્યકર્તાએ 38 દિવસો માટે વેંટીલેટર પર રહ્યા બાદ વાયરસને હરાવ્યો. ભારતમાં આ પહેલો કેસ છે જેને લાંબા સમય સુધી કોરોના પૉઝિટીવ સંક્રમણના કારણે સ્થિતિ બગડવા પર વેંટીલેટર રાખવામાં આવ્યા અને જીવિત બચીને સ્વસ્થ થઈ ચૂક્યા છે.

કોરોના સામે હાર ન માની
ટૉલીગંજ નિવાસી 52 વર્ષીય નિતઈ દા એક સામાજિક કાર્યકર્તા છે. તેમને 29 માર્ચે કોલકત્તાની એક ખાનગી હોસ્પિટલ એએમઆરઆઈ ઢાકુરિયામાં ભરતી કરવામાં આવ્યો હતો કારણકે તેને તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ હતી. આગલી સવારે તેને વેંટીલેટર પર રાખવામાં આવ્યો અને તેના કોરોના ટેસ્ટની રાહ જોવામાં આવી. તેને કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો. તેના પછીના ટેસ્ટ પણ પૉઝિટીવ આવ્યા જેના લીધે તેને 38 દિવસો સુધી વેંટીલેટર પર રાખવામાં આવ્યો. પરંતુ નિતઈ દાએ હાર ન માની. તેણે ડૉક્ટરો અને નર્સોની ટીમના પ્રયાસોને બેકાર ન જવા દીધી અને કોરોનાને મ્હાત આપી દીધી.

ચિકિત્સકોએ કરી બતાવ્યો ચમત્કાર
એએમઆરઆઈ હોસ્પિટલના ક્રિટિકલ કેર એન્ડ ઈન્ટરનલ મેડિસિન ડૉ. સારસ્વતી સિન્હાએ કહ્યુ, નિતિન દાસ 4 સપ્તાહથી વેંટિલેટર પર હતા, તેમને ટ્રોકેસ્ટૉમી પણ હતુ, એક મેડિકલ પ્રક્રિયા જેમાં ફેફસામાં હવા નાખવા માટે ગળામાંથી પાઈપના માધ્યમથી ગળા સુધી એક પાઈપ નાખવામાં આવે છે. 17 અને 18 એપ્રિલે હોસ્પિટલે પોતાનુ કોવિડ-19 પરીક્ષણ કર્યુ અને બંને રિપોર્ટ નેગેટીવ આવ્યો અને ત્રીજી વાર 2 મેના રોજ, 52 વર્ષીય યોદ્ધાને મહત્વપૂર્ણ સુધારા માટે દિવસમાં 12 કલાકથી પણ ઓછા સમય માટે આંશિક વેંટીલેટરમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવ્યા હતા. આ ઈશ્વરનો સંકેત હતો. 5મેના રોજ તેમના ડૉક્ટરે તેમને આઈસીયુમાં સ્થાનાંતરિત કરી દીધા પરંતુ વેંટીલેટરની જરૂર નહોતી. આના ત્રણ દિવસ બાદ તેમને ડિસ્ચાર્જ કરી દીધા. નિતાઈ દાએ કહ્યુ કે નર્સો અને ડૉક્ટરોએ રાતની ઉંઘ છોડીને પણ મારો જીવ બચાવ્યો. તેમણે વાસ્તવમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. આજે હું ધન્ય અનુભવુ છુ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
