ISIS ટ્વીટર કેસ અપડેટ : @shamiwitness પાછો આવ્યો? પોલીસ મૈસૂર લિંક શોધશે
બેંગાલુરુ, 14 ડિસેમ્બર : ISIS ટ્વીટર હેન્ડલ @shamiwitness કેસમાં એક નવો વળાંક આવ્યો છે. @shamiwitness હેન્ડલનું સંચાલન કરતા મેંહદી મસરૂર બિસ્વાસની ધરપકડ બાદ પોલીસને ધમકીભર્યો ફોન મળ્યો હતો. આ ફોન કોલ્સ મૈસૂર શહેરના નંબરથી આવ્યો હોવાથી બેંગલોર પોલીસ ફોર્સ (સીસીબી) દ્વારા મૈસુરમાં કડી શોધવાની કામગીરી શરૂ કરી છે. આ સંદર્ભમાં પોલીસે દાવો કર્યો છે કે તેણે આ કેસ સંદર્ભમાં મૈસુર શહેરની એકથી વધારે વખતવાર મુલાકાત લીધી છે.
આ કેસમાં અન્ય કેવા વળાંકો આવ્યા છે તે જાણવા આગળ ક્લિક કરો...

મૈસુર લિંકની શોધ
બેંગાલુરુના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ હેમેત નિંબાલકરે જણાવ્યું કે અમારી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તે ISISની વિચારધારાનો પ્રચારક છે. તે આપણા મિત્ર દેશોના યુવાનોના મગજમાં અસર પેદા કરીને ISIS માટે યોદ્ધાઓ તૈયાર કરે છે. અમે અવાસ્તવિક અને વાસ્તવિક સંબંધોનું જોડાણ તપાસવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમે આ તપાસને કોઇ સ્થાનિક સંબંધો કે સ્લીપર સેલ ના અસ્તિત્વની પણ તપાસ કરી રહ્યા છીએ.

@shamiwitness પરત આવ્યો?
બેંગલુરુ પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યુરોએ તેમન તપાસમાં @shamiwitnessની ટ્વીટ્સ અને તેમના ફોલોઅર્સની વિગતે ચકાસણી કરવાનું શરૂ કર્યું છે. આ એકાઉન્ટ પરતી અંદાજે 1,30,000 ટ્વીટ કરવામાં આવ્યા છે. તેના 7600 ફોલોઅર્સ છે. તેના લેટેસ્ટ ટ્વીટમાં જણાવાયું છે કે તેણે તેની ટ્વીટ્સ અને મિત્રો સાથેના જવાબો બચાવી લીધા છે. આ બધુ એક ખાસ ટૂલ મારફતે કરવામાં આવ્યું છે. પોલીસના કહેવાથી ખાતુ ફરીથી ખોલવામાં આવ્યું હતું. જેથી તેઓ ટ્વીટની તપાસ કરી શકે.

મેંહદીને પાંચ દિવસના રિમાન્ડ
પોલીસે મેંહદી મસરૂર બિસ્વાસને ગઇકાલે રાત્રે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતા પોલીસને પાંચ દિવસના રિમાન્ડની પરવાનગી મળી હતી.

પોલીસ અધિકારીને ધમકી
મેંહદીની ધરપકડ બાદ ડીસીપી (ક્રાઇમ) અભિષેક ગોયલને ટ્વીટર હેન્ડલ @abouanfal6 તરફથી ધમકી મળી હતી કે અમે અમારા ભાઇઓને તમારા હાથમાં રહેવા દઇશું નહીં, બદલો લેવા ટૂંકમાં પાછા ફરીશું. "@goyal_abhei we will not leave our brothers in your hand Revenge is coming wait for our reaction"

મેં કાયદો તોડ્યો નથી : મેંહદી
પોલીસની પૂછપરછ દરમિયાન ISIS ટ્વીટર હેન્ડલ @shamiwitness અપડેટ કરનાર મેંહદી મસરૂર બિસ્વાસે પોલીસને જણાવ્યું હતું કે 'મારું માનવું છે કે ભારતમાં મેં કોઇ કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી.' પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મેંહદીને ભારતીય કાયદાનું સારું જ્ઞાન છે. તેને ધ્યાનમાં હતું કે ભારત સામે એક શબ્દ બોલતા તે મુશ્કેલીમાં મુકાઇ શકે છે અને તેને ફાંસી સુધીની સજા થઇ શકે છે. આ કારણે તે ભારત વિરુદ્ધ એક પણ શબ્દ ઉચ્ચારતો ન હતો. વળી ટ્વીટર પર એક પ્રશ્વ સિરિયામાં ISISમાં ભારત કે પાકિસ્તાનના કેટલા લોકો છે?ના જવાબમાં કોઇ રિસ્પોન્સ આપ્યો ન હતો. આવું તે જાણી જોઇને કરતો હતો. આ સાથે તેને ટેકનોલોજીનું પણ સારુ જ્ઞાન હતું જેનો તે ફાયદો ઉઠાવતો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
