સંજય રાઉત બાદ એનસીપી નેતાએ આપ્યુ ઈન્દિરા ગાંધી પર એવુ નિવેદન, વધી શકે છે કોંગ્રેસનો પારો
એનસીપી નેતા જિતેન્દ્ર અવ્હાડે આ વખતે એવુ નિવેદન આપ્યુ છે જે કોંગ્રેસને બિલકુલ સ્વીકાર્ય નહિ હોય.
મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીની ગઠબંધન સરકાર છે. પરંતુ આ ગઠબંધનની સરકારમાં રોજ કોંગ્રેસને કોઈને કોઈ અસહજ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યારેક શિવસેનાના નેતા તો ક્યારેક એનસીપીના નેતા કોંગ્રેસના પૂર્વ નેતા અને દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી વિશે નિવેદન આપે છે જેના કારણે કોંગ્રેસ માટે આ નિવેદનોને પાર પાડવા મુશ્કેલ બની રહ્યા છે. એનસીપી નેતા જિતેન્દ્ર અવ્હાડે આ વખતે એવુ નિવેદન આપ્યુ છે જે કોંગ્રેસને બિલકુલ સ્વીકાર્ય નહિ હોય.

ફરીથી ઈતિહાસનું પુનરાવર્તન થશે
જિતેન્દ્ર અવ્હાડે કહ્યુ કે ઈન્દિરા ગાધીએ પણ લોકતંત્રનુ ગળુ ઘોંટવાનુ કામ કર્યુ હતુ. એ વખતે કોઈ પણ તેમની સામે બોલવા તૈયાર નહોતુ. ત્યારે અમદાવાદ, પટનાના છાત્રોએ તેમનો વિરોધ કરવાનો શરૂ કર્યો, જેપી આંદોલનની શરૂઆત થઈ અને ઈન્દિરા ગાંધીએ હારનો સામનો કરવો પડ્યો. આ ઈતિહાસ એક વાર ફરીથી પુનરાવર્તિત થશે. આને મહારાષ્ટ્ર અને દેશમાં પુનરાવર્તિત કરવામાં આવશે. આ પહેલી વાર નથી જ્યારે ઈન્દિરા ગાંધી વિશે કોંગ્રેસના સહયોગી દળે આવુ નિવેદન આપ્યુ છે. આ પહેલા સંજય રાઉતે પણ ઈન્દિરા ગાંધી વિશે નિવેદન આપ્યુ હતુ.

સંજય રાઉતે આપ્યુ હતુ નિવેદન
સંજય રાઉતે કહ્યુ હતુ કે ઈન્દિરા ગાંધી અંડરવર્લ્ડ ડૉન કરીમ લાલાને મળવા માટે પાયધુની આવતા હતા. આ મુંબઈનો વિસ્તાર છે જ્યાં ઘણી વાર ઈન્દિરા ગાંધીની કરીમ લાલા સાથે મુલાકાત થઈ ચૂકી છે. સંજય રાઉતના આ નિવેદન પર ઘણો વિવાદ ઉભો થઈ ગયો હતો ત્યારબાદ સંજય રાઉતે પોતાના નિવેદન પર સફાઈ આપી હતી અને તેનો પાછુ લીધુ હતુ. તેમણે કહ્યુ કે નહેરુ અને ઈન્દિરા માટે તેમની અંદર હંમેશા સમ્માન છે. તેમણે કહ્યુ કે કરીમ લાલા અફઘાનિસ્તાનના પઠાણોના નેતા હતા એટલા માટે તેઓ એને મળતા હતા.

દાઉદને ઝાટક્યો હતો
શિવસેનાના રાજ્યસભા સભ્યએ કહ્યુ હતુ કે તે અંડરવર્લ્ડના દિવસો હતા. બાદમાં દરેક ડૉન દેશ છોડીને ભાગી ગયો. હવે આવુ કંઈ નથી. આ પૂછવા પર કે શું અંડરવર્લ્ડના લોકોએ ફોટા પડાવ્યા, રાઉતે દાવો કહ્યુ કે તેમણે દાઉદ ઈબ્રાહિમ સહિત ઘણા ગેંગસ્ટરોના ફોટા પડાવ્યા. શિવસેના નેતાએ એ પણ દાવો કર્યો કે તેમણે એક વાર દાઉદ ઈબ્રાહિમને ઝાટક્યો હતો. તેમણે કહ્યુ, ‘મે એને જોયો છે, હું તેને મળ્યો છુ, મે તેની સાથે વાત કરી છે અને મે તેને ઝાટક્યો પણ છે.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
