લદ્દાખ પર બોલ્યા સેના પ્રમુખ - શાંતિપૂર્ણ સમાધાનની આશા પરંતુ કોઈ પણ સ્થિતિ માટે સેના તૈયાર
સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે ભારતીય સેનાની વાર્ષિક પ્રેસ કૉનફરન્સને સંબોધિત કરી. જાણો તેમણે શું કહ્યુ.
General MM narvane PC: નવી દિલ્લીઃ સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે ભારતીય સેનાની વાર્ષિક પ્રેસ કૉનફરન્સને સંબોધિત કરી. જેમાં તેમણે કહ્યુ કે ગયુ વર્ષ પડકારોથી ભરેલુ રહ્યુ. અમારે આ પડકારોનો સામનો કરવાનો હતો અને આગળ વધવાનુ હતુ. આપણે આમ જ કર્યુ અને આગળ આવી ગયા. આપણી સામે મોટો પડકાર કોવિડ-19 અને દેશની ઉત્તર સીમાએ હતો.

સેના પ્રમુખે કહ્યુ કે અમે દેશની ઉત્તર સીમાએ સંપૂર્ણપણે સતર્ક છે અને એક આદર્શ સ્થિતિ જાળવી રાખી છે. અમે એક શક્તિશાળી સમાધાનની આશા રાખી રહ્યા છે પરંતુ કોઈ પણ ઘટનાને પૂરી કરવા માટે તૈયાર છે. સેનાના આધુનિકીકરણ પર બોલતા સેના પ્રમુખે કહ્યુ કે ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સેનાને ટેકનિકલ રીતે વિકસિત કરવા માટે વ્યાપક રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં બધા ટેકનિકોને સેના સાથે જોડવામાં આવશે.
નરવણેએ પાકિસ્તાન વિશે કહ્યુ કે પાકિસ્તાને સતત આતંકવાદને પ્રોત્સાહન આપવાનુ ચાલુ રાખ્યુ છે. આપણી પાસે આતંક માટે ઝીરો ટોલરન્સ છે. આપણે જવાબ આપવા માટે સમય અને સ્થળ જાતે પસંદ કરીએ છે અને આપણે એ સ્પષ્ટ સંદેશ બૉર્ડર પાસે મોકલી દીધો છે. પાકિસ્તાન અને ચીન મળીને એક શક્તિશાળી જોખમ પેદા કરી શકે છે અને બંનેની મિલીભગતનો ઈનકાર કરી શકાય નહિ.
તિબેટમાં ચીનની તાકાત વિશે પણ સેના પ્રમુખે વાત કરી. દર વર્ષે પીએલએના સૈનિક પારંપરિક પ્રશિક્ષણ ક્ષેત્રોમાં આવે છે. ઠંડીમાં અને પ્રશિક્ષણ સમય પૂરો થવા સાથે, પ્રશિક્ષણ ક્ષેત્રોને ખાલી કરી દેવામાં આવ્યા છે. જે સૈનિક તિબેટ પઠારમાં અંતરિયાળ ક્ષેત્રોમાં હતા તે પાછા જતા રહ્યા છે માટે એ માનવામાં આવી રહ્યુ છે કે પઠાર પર સૈનિકોમાં ઘટાડો થયો છે. તેમણે આગળ કહ્યુ કે જ્યાં સુધી તણાવવાળા ક્ષેત્રોની વાત છે એ વિસ્તારોમાં ના તો ચીન તરફથી ના આપણા તરફથી તાકાતમાં કોઈ કમી થઈ નથી.
સેના પ્રમુખે જણાવ્યુ કે જો કે આ વખતે વધુ ઉંચાઈવાળા વિસ્તારોમાં વધુ સૈનિક તૈનાત છે પરંતુ ઠંડીના કારણે સૈનિકોના મોત મામલે સ્થિરતા છે. ગયા વર્ષે આ 0.13 ટકા હતી અને આ વર્ષે 0.15 ટકા છે. વાતચીત અંગે જનરલ નરવણેએ જણાવ્યુ કે ભારત અને ચીન વચ્ચે પરસ્પર અને સુરક્ષાના મુદ્દે વાતચીત ચાલુ રહેશે. મને વિશ્વાસ છે કે અમે આ મુદ્દાને ઉકેલવામાં સક્ષમ રહીશુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
