મ્યાનમાર બોર્ડર પર સેનાની સર્જીકલ સ્ટ્રાઈકમાં ઘણા આતંકી ઠાર, ડ્રોનનો પણ ઉપયોગ
ભારત અને મ્યાનમારની સેનાએ 17 ફેબ્રુઆરી અને 2 માર્ચના રોજ સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ આપવામાં આવ્યો હતો.
26 ફેબ્રુઆરીના રોજ આખો દેશ અને દુનિયા પાકિસ્તાનના બાલાકોટમાં થયેલા હવાઈ હુમલા વિશે જાણકારી લઈ રહ્યુ હતુ ત્યારે ઈન્ડિયન આર્મી ભારત-મ્યાનમાર બોર્ડર પર એક મોટા ઑપરેશનને અંજામ આપી રહી હતી. સેનાએ મ્યાનમારની સેના સાથે મળીને ભારત-મ્યાનમાર બોર્ડર પર હાજર આતંકી તત્વોનો સફાયો કરવાના હેતુથી આ એક મોટા ઑપરેશનને અંજામ આપ્યો છે. ભારત અને મ્યાનમારની સેના વચ્ચે 17 ફેબ્રુઆરી અને 2 માર્ચના રોજ સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ આપવામાં આવ્યો હતો. આ મિશનનો હેતુ નોર્થ-ઈસ્ટ રાજ્યોમાં ચાલુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટ ખતરો બનેલા તત્વોને ખતમ કરવાનો હતો. મ્યાનમારમાં હાજર સંગઠન આ પ્રોજેક્ટસ માટે ખતરો હતા.

મ્યાનમાર બોર્ડર પર સેનાના કેમ્પ્સ
મિઝોરમને કોલકત્તા સાથે કરવા સાથે જ પ્રોજેક્ટ ખતમ થઈ જશે. આ પ્રોજેક્ટ પૂરા થવાતી મિઝોરમ અને કોલકત્તા વચ્ચે અંતર ખતમ થઈ શકશે. પ્રોજેક્ટ પૂરો થયા બાદ કોલકત્તાથી મિઝોરમ સુધી અંતર લગભગ ઓછુ થઈ શકશે અને આ બસ ચાર દિવસમાં નક્કી કરવામાં આવી શકશે. સૂત્રો મુજબ કાલદાન પ્રોજેક્ટની સુરક્ષા માટે ઈન્ડિયન આર્મીએ બધા આતંકીઓને ખતમ કરવાની જવાબદારી ઉઠાવી. આના માટે મિઝોરમની દક્ષિણમાં બેઝ તૈયાર કરવામાં આવ્યા જે મ્યાનમાર બોર્ડર પાસે છે.

એનએસસીએન(કે) આતંકીઓનો સફાયો
મોટાપાયે જોઈન્ટ ઑપરેશન ચલાવવામાં આવ્યુ અને પહેલા ફેઝમાં તેમના કેમ્પને ખતમ કરવામાં આવ્યા જે મિઝોરમ પાસે બોર્ડર પર હતા. બીજા ફેઝમાં ખતરનાક નાગા સંગઠન એનએસસીએન(કે)ને નિશાન બનાવ્યા અને તેમને નષ્ટ કરવામાં આવ્યા. જણાવવામાં આવી રહ્યુ છે કે આ રીતનું ઑપરેશન પહેલી વાર હતુ. આ ઑપરેશન હેઠળ ટ્રુપ્સનું ડિપ્લોયમેન્ટ એવુ હતુ કે આખુ ભારત-મ્યાનમાર બોર્ડર કવર થઈ શકે. બે સપ્તાહ સુધી ચાલ્યા બાદ આ ઑપરેશન બે માર્ચે ખતમ થયુ છે.

ઘણા પ્રકારના ઈક્વિપમેન્ટ્સની મદદ
આ ઑપરેશન દરમિયાન ઈન્ડિયન આર્મી, અસમ રાઈફલ્સ અને બીજી ઈન્ફેન્ટ્રી યુનિટ્સને પણ શામેલ કરવામાં આવી હતી. ઑપરેશનમાં હેલીકોપ્ટર્સ, ડ્રોન્સ અને બીજા સર્વિલન્સ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપકરણોની મદદથી આતંકીઓની યોગ્ય સંખ્યાનું અનુમાન લાગી શક્યુ અને તેમને નિશાના પર લેવામાં આવ્યુ. સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા બે વર્ષોમાં કાચિન ઈન્ડીપેન્ડસ આર્મી (કેઆઈએ) એ લગભગ 3000 કેડર્સ તૈયાર કરી લીધા હતા. આ કેડર્સ મિઝોરમ પાસે લવાંગત્લા સુધી આવી ગયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
