ભારતમાં આજે હટાવાશે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ક્વૉરંટાઈનના નિયમ, જાણો શું છે નવી ગાઈડલાઈન
ભારત સરકારે સંપૂર્ણપણે રસીકરણવાળા વિદેશી મુસાફરોને ટેસ્ટિંગ અને કવૉરંટાઈન વિના જ એરપોર્ટથી બહાર જવાની મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્લીઃ ભારત સરકારે સંપૂર્ણપણે રસીકરણવાળા વિદેશી મુસાફરોને ટેસ્ટિંગ અને કવૉરંટાઈન વિના જ એરપોર્ટથી બહાર જવાની મંજૂરી આપી દીધી છે. આ આજે એટલે કે સોમવાર(25 ઓક્ટોબર)થી લાગુ થઈ ગયુ છે. જો કે આ મંજૂરી માત્ર એ જ દેશોના મુસાફરોને ભારતે આપી છે જ્યાં વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ) દ્વારા મંજૂર કરાયેલ કોવિડ1-9 વેક્સીન લગાવવામાં આવી રહી છે. ડબ્લ્યુએચઓ અપ્રૂવ્ડ કોરોના વેક્સીન લેનારા મુસાફરોને હવે એરપોર્ટ પર કોરોના તપાસ અને ક્વૉરંટાઈન માટે રોકવામાં નહિ આવે. જો કે મુસાફરોને કોરોનાની તપાસનો એક નેગેટીવ રિપોર્ટ એરપોર્ટ પર બતાવવાનો રહેશે.

ઈન્ટરનેશનલ ટ્રાવેલર્સ માટે બુધવારે જાહેર કરાયેલ સુધારાયેલ દિશાનિર્દેશો મુજબ બહારથી આવતા મુસાફરોને કોવિડ-19 આરટી-પીસીઆર રિપોર્ટ આપવો પડશે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યુ છે કે આંતરરાષ્ટ્રીય આગમન માટે આ દિશાનિર્દેશ આ વર્ષે 17 ફેબ્રુઆરી અને ત્યારબાદ જાહેર કરવામાં આવેલ અન્ય બધા દિશાનિર્દેશોની જગ્યાએ લાગુ કરવામાં આવશે. નવી ગાઈડલાઈનમાં જે નિયમ છે તે મુજબ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ભારત આવવા પર અમુક વાતોનુ ધ્યાન રાખવુ પડશે.
જો વેક્સીનેટ ન હોય તો એવા મુસાફરોને ભારતમાં કોવિડ-19 ટેસ્ટ કરાવવો પડશે. ત્યારબાદ 7 દિવસ માટે ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે. વળી, આઠમાં દિવસે કોરોના તપાસ કરાવવી પડશે. જો રિપોર્ટ પૉઝિટિવ આવશે તો તેમણે ખુદ પોતાની દેખરેખ રાખવી પડશે.
આ નવા દિશા નિર્દેશોનુ પાલન માત્ર આંતરરાષ્ટ્રીય મુસાફરોને જ નહિ પરંતુ એરલાઈનને પણ માનવા પડશે. આ એસઓપાી 25 ઓક્ટોબરથી આગલા આદેશ સુધી લાગુ રહેશે. કોરોનાના કેસ પર ધ્યાન આપતી વખતે સમયે-સમયે આમાં ફેરફાર કરવામાં આવશે.
બધા મુસાફરોને રિપોર્ટની પ્રામાણિકતા વિશે એક ઘોષણા પણ રજૂ કરવાની રહેશે.
દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યુ છે કે જોખમવાળા દેશોને છોડીને દેશોના મુસાફરોને એરપોર્ટથી બહાર જવાની અનુમતિ હશે અને આગમન બાદ 14 દિવસ માટે પોતાના આરોગ્યની ખુદ જ દેખરેખ કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
