વર્ષે 5 લાખ બાળકોના જીવ લેનાર વાઈરસ સામે લડવામાં ભારત નિષ્ફળ
બેંગ્લોર: વિશ્વમાં દર વર્ષે જે રોગના કારણે બાળકોના સૌથી વધુ મોત થાય છે તેમા ડાયરિયા બીજા નંબરે છે. યુનિસેફના રીપોર્ટ મુજબ દર વર્ષે 8 લાખ બાળકો આ રોગનો ભોગ બને છે. આ રોગ રોટા વાઈરસના માધ્યમથી બાળકોના શરીરમાં પહોંચે છે.
પાંચ વર્ષના બાળકોમાં રોટા વાઈરસ એટલે કે ડાયરિયાનો ખતરો
1. આ વાઈરસ પાંચથી ઓછી ઉંમરના બાળકોને શિકાર બનાવે છે.
2. આ વાઈરસ બહું જલ્દી સંક્રમિત થાય છે. અન્ય બાળકને પણ જલ્દી ભરડામાં લે છે.
3. દૂષિત પાણીના કારણે બાળકોમાં ફેલાય છે.
4. આ વાઈરસના કારણે બાળકોને ઝાડા અને ઉલ્ટી થવા લાગે છે.
5. બાળકો ડિહાડ્રેશનનો શિકાર થઈ જાય છે. જો સારવાર ના થાય તો બાળકનું મોત થાય છે.
6. જાન્યુઆરી મહિનામાં સમાચાર હતા કે ભારતે બહું જ ઓછી કિંમતે આ વાઈરસને ડામવા વેક્સીન તૈયાર કર્યું છે જે દરેક સરકારી હોસ્પિટલમાં ગરીબ બાળકો માટે મફતમાં મળશે.
પરંતુ સવાલ એ છે કે શું આ વેક્સીન દેશના તમામ બાળકોને મળી રહ્યું છે. જે જાણવા માટે નીચેની સ્લાઈડ્સ પર ક્લીક કરો.

સરકારી હોસ્પિટલ્સમાં વેક્સીન નથી
દરેક ગરીબ બાળકોને સરકારી હોસ્પિટલ્સમાં રોટા વાઈરસની રસી મફતમાં મળશે તેવા આદેશ સરકારે આપી દીધા છે પણ દેશની એવી ઘણી સરકારી હોસ્પિટલ્સ છે જ્યાં આ રસી ઉપલબ્ધ જ નથી.

પાણી અને શૌચાલય પર રૂપિયા ખર્ચ કરે
જો સરકાર દેશમાં પાણી અને શૌચાલય પર પૈસા ખર્ચ કરે અને તેને વધુ શુદ્ધ બનાવે તો દેશમાં ડાયરિયાના કેસને ઘટાડી શકાય છે. ભારતમાં શહેરી વિસ્તારોમાં 63 ટકા અને ગ્રામ્ય વિસ્તારોમાં 72 ટકા સ્થળે શૌચાલય નથી.

પીવાના પાણીને શુદ્ધ કરવામાં આવે
જો પીવાના પાણીનું શુદ્ધિકરણ અને રહેવાસી વિસ્તારોને સાફ રાખવામાં આવે તો 40 ટકા બાળકોને ડાયરિયાથી બચાવી શકાય છે. જો લોકો પોતાના ઘરમાં સાફ સફાઈ સારી રીતે રાખે અને ચોખ્ખાઈનું ધ્યાન રાખે તો આ રોગમાં ખાસ્સો ઘટાડો થઈ શકે છે. યુનિસેફના જણાવ્યા મુજબ આ રીતે 30 ટકા સુધી આ બિમારીમાં ઘટાડો થઈ શકે છે.

4,50,000 બાળકો રોટાવાઈરસના શિકાર
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રીપોર્ટ મુજબ દર વર્ષે વિશ્વમાં 4,50,000 બાળકો આ વાઈરસનો શિકાર બને છે. જેમાંથી 98,000 ભારતીય બાળકો હોય છે.

સાવધાની જ બચાવ
દરેક સરકારી હોસ્પિટલમાં મફત રસી આપવી તેવા સરકારના આદેશને હકીકતમાં બદલાતા ઘણો સમય લાગશે. પરંતુ થોડી સાવધાની રાખવાથી આ વાઈરસના આક્રમણથી બાળકોને બચાવી શકાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
