પ્રવાસીઓની પીડા આખા ભારતે જોઈ પરંતુ ભાજપે નહિઃ સોનિયા ગાંધી

કોરોના સંકટમાં ભૂખ-તરસ સામે ઝઝૂમી રહેલ પ્રવાસીઓ માટે એક વાર ફરીથી કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી(ભાજપ) પર નિશાન સાધ્યુ છે.

દેશવ્યાપી લૉકડાઉન લાગુ થયા બાદથી જ દેશભરમાંથી પ્રવાસી મજૂરોનુ પલાયન નિરંતર ચાલુ છે. આજીવિકાની સમસ્યા સામે ઝઝૂમી રહેલ પ્રવાસી કોઈ રીતે પોતાના ગૃહ રાજ્ય પહોંચાડવા ઈચ્છે છે. કોરોના સંકટમાં ભૂખ-તરસ સામે ઝઝૂમી રહેલ પ્રવાસીઓ માટે એક વાર ફરીથી કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી(ભાજપ) પર નિશાન સાધ્યુ છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે કહ્યુ કે ભારતે પ્રવાસીઓની પીડા જોઈ છે પરંતુ ભાજપે નહિ.

sonia gandhi

સોનિયા ગાંધીએ કહ્યુ કે દેશ એક ભયાનક મંજર જોઈ રહ્યુ છે જ્યાં કોવિડ-19 વચ્ચે ઘરે જવા માટે પ્રવાસી મજૂર સેંકડો કિલોમીટરનો પ્રવાસ પગપાળા જવુ પડી રહ્યુ છે તો આમાંથી ઘણી ઉઘાડા પગે પ્રવાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી લૉકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે જે 31 મે, 2020 ના રોજ સમાપ્ત થશે. ભાજપની સાથે સાથે મોદી સરકારને પણ નિશાન પર લઈને સોનિયા ગાંધીએ કહ્યુ, પ્રવાસીઓની પીડા, તેમનો ડર આખા દેશે સાંભળ્યો પરંતુ કદાચ સરકારને સંભળાયો નહિ.

તમને જણાવી દઈએ કે સોનિયા ગાંધીએ ગુરુવારે પ્રવાસી મજૂરો માટે એક વીડિયો સંદેશ જારી કર્યો જેમાં તેમણે ભાજપ અને કેન્દ્ર સરકારને નિશાના પર લીધુ છે. સોનિયા ગાંધીનો આ મેસેજ કેન્દ્ર સરકાર સમક્ષ ગરીબો, પ્રવાસીઓ, નાના વેપારીઓ અને મધ્યમ વર્ગના લોકોનો અવાજ ઉઠાવવામાં મદદ કરવા માટે કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ સ્પીકઅપ અભિયાનનો એક ભાગ છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પાસે મુશ્કેલીઓનો સામનો કરવા માટે આગલા છ મહિના માટે પ્રત્યેક ગરીબ પરિવારને 7500 રૂપિયા આપવાનો આગ્રહ કર્યો. તેમણે એ પણ કહ્યુ કે મજૂરો અને ગરીબોને તરત જ 10,000 રૂપિયા આપવામાં આવે.

ભીષણ ગરમીથી મળશે રાહત, પ્રી-મોન્સુને પકડી ગતિ, આ રાજ્યોમાં વરસાદના અણસાર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X