ઝારખંડના હજારીબાગમાં બસ નદીમાં ખાબકી, 7ના મોત!
ઝારખંડના હજારીબાગમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં મુસાફરોથી ભરેલી બસ નદીમાં પડતાં 7 લોકોનાં મોત થયાં છે અને 12-13 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બસમાં 50 થી વધુ લોકો સવાર હતા.
રાંચી : ઝારખંડના હજારીબાગમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં મુસાફરોથી ભરેલી બસ નદીમાં પડતાં 7 લોકોનાં મોત થયાં છે અને 12-13 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બસમાં 50 થી વધુ લોકો સવાર હતા. સાથે જ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. પીએમ મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

આ ઘટના અંગે માહિતી આપતાં એસપી હજારીબાગએ જણાવ્યું કે, આજે બપોરે સિવાન નદી પરના પુલ પરથી મુસાફરોને લઈ જતી બસ પડી જતાં 7 લોકોના મોત થયા હતા અને 12-13 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
પીએમઓએ ટ્વિટ કરી માહિતી આપી કે, ઝારખંડના હજારીબાગ જિલ્લામાં બસ દુર્ઘટનામાં લોકોના મોતથી હું દુખી છું. આ દુઃખદ સમયે મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને શોક વ્યક્ત કરતા કહ્યું કે તાતીઝારિયામાં બસ પુલ પરથી પડી જવાથી મુસાફરોના મોતથી હું દુખી છું. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
પોલીસ અધિક્ષક મનોજ રતન ચોથેએ જણાવ્યું કે, ગિરિડીહ જિલ્લામાંથી આવી રહેલી રાંચી બસ એક પુલની રેલિંગ તોડીને તાતીઝારિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની સિવાન નદીમાં સૂકી જગ્યાએ પડી ત્યારે આ અકસ્માત થયો હતો. તેમણે કહ્યું કે બસમાં હજુ પણ કેટલાક મુસાફરો ફસાયેલા હોવાથી બચાવ કામગીરી ચાલુ છે.
એસપીના જણાવ્યા અનુસાર, બે મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચારને હજારીબાગની સદર હોસ્પિટલમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. કેટલાક ગંભીર રીતે ઘાયલ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. અમે તેમને સારી સારવાર માટે RIMS રાંચીમાં મોકલવાની તૈયારી કરી રહ્યા છીએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
