મુઝફ્ફરનગર: રેલ દુર્ઘટના પાછળના કારણો, મુખ્ય વિગતો જાણો અહીં
પૂરી હરિદ્વાર કલિંગા ઉત્કલ એક્સપ્રેસ દુર્ઘટના અંગે વિગતવાર માહિતી મેળવો અહીં.
મુઝફ્ફરનગરના ખતૌલીમાં થયેલ રેલ દુર્ઘટનામાં 23 લોકોનું મૃત્યુ થયું હતું, પરંતુ આ ભીષણ દુર્ઘટનામાં 150થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. આ ઘટનાને કારણે રેલવે વિભાગનું ગેરજવાબદારીપૂર્ણ વર્તન સામે આવ્યું છે અને પોસ્ટમોર્ટમ હાઉસમાં પણ અવ્યવસ્થા જોવા મળી છે, જેને કારણે યાત્રીઓના પરિવારજનોનો રોષ ફાટી નીકળ્યો છે. અત્યાર સુધીની ખબર અનુસાર, પોસ્ટમોર્ટમ હાઉસની જે તસવીરો સામે આવી છે, જે ખૂબ શરમજનક છે. પોસ્ટમોર્ટમ હાઉસમાં શબોને એવી નીચે જમીન પર નાંખવામાં આવ્યા છે, જાણે એ કોઇ કચરો હોય. ત્યાંની પરિસ્થિતિ ખાસી ડરામણી હતી.

આ રેલ દુર્ઘટનાનું કારણ ટ્રેનની વધુ પડતી ઝડપ હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. એક વ્યક્તિગત ચેનલના રિપોર્ટરને સ્થાનિક લોકો સાથે વાત કરી હતી, જેમાં એ વાત સામે આવી છે કે ટ્રેક સામે કંઇ નહોતું, આ દુર્ઘટના વધુ પડતી ઝડપને કારણે થયો છે.
રેલવેના નિવૃત્ત અધિકારીઓ અનુસાર, રેલવેમાં ભારે સંખ્યામાં વર્કર્સની ખોટ છે. રેલવે દુર્ઘટનાઓ પાછળનું એક કારણ આ પણ છે. આઉટ ડેટેડ મટિરિયલથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. રેલવે દુર્ઘટનાઓનું એક કારણ 40 ટકા આઉટ ડેટેડ ટ્રેક છે. ઘણા એવા રૂટ છે, જેના ટ્રેકને મેઇન્ટેનન્સ કરીને ચલાવવામાં આવી રહ્યાં છે. ટ્રેક મેનથી લઇને યાર્ડ સ્ટાફ સુધીના 1 લાખ 80 હજાર પદ ખાલી છે. આ ઘટના બાદ દેહરાદૂન-સહારનપુર-દિલ્હી રૂટ પર અનેક ટ્રેનોને વિભિન્ન સ્ટેશન પર રોકી દેવામાં આવી છે.
નોંધનીય છે કે, શનિવારે કલિંગ-ઉત્કલ એક્સપ્રેસના 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, આ ટ્રેન પુરીથી હરિદ્વાર જઇ રહી હતી, ટ્રેન 9 વાગે હરિદ્વાર પહોંચવાની હતી. પરંતુ એ પહેલાં જ દુર્ઘટના થઇ હતી. પાટી પરથી ઉતરી ગયેલા ટ્રેનના ડબ્બા ટ્રેક પાસે બનેલ મકાનો અને શાળાઓમાં ઘુસી ગયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
