મધ્ય પ્રદેશમાં સમાજવાદી પાર્ટીનું કોંગ્રેસ સાથે ગઠબંધન થયુ હોત તો બીજેપી હારતી? જાણો શું કહે છે આંકડા?
પાંચ રાજ્યોની ચૂંટણીમાં 3 મોટા રાજ્યોમાં કોંગ્રેસની હારે ઘણા સવાલ પેદા કર્યા છે. એક તરફ ઈન્ડિયા ગઠબંધન બની રહ્યું છે બીજી તરફ સવાલ ઉઠી રહ્યો છે કે જો વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ ગઠબંધન સાથે લડતી તો કોઈ ફાયદો થતો?
સવાલ ઉઠી રહ્યો છે કે મધ્યપ્રદેશ કોંગ્રેસે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હોત તો જીત મળતી, જો કે આ દાવો કેટલો સાચો છે એની વિગતે માહિતી અમે તમને આપીશું.

જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ 71 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. સમાજવાદી પાર્ટીએ કહ્યું કે, તે કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવા માંગે છે પરંતુ જ્યારે તેની વાત સાંભળવામાં ન આવી તો તેને એકલા લડવાની ફરજ પડી.
ચૂંટણીના પરિણામો બાદ સપા પ્રમુખ અખિલેશ યાદવે કોંગ્રેસનું નામ લીધા વિના કહ્યું કે, હવે અહંકાર છોડી દેવો જોઈએ. આ સ્થિતિમાં એક મોટો સવાલ એ ઊભો થાય છે કે જો કોંગ્રેસે મધ્યપ્રદેશમાં સપા સાથે ગઠબંધન કર્યું હોત તો તેને કેટલો ફાયદો થયો હોત?
અહેવાલો અનુસાર, મધ્યપ્રદેશમાં જે 71 બેઠકો પર સમાજવાદી પાર્ટીએ તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા તેમાંથી ભાજપે 55 બેઠકો જીતી છે. કોંગ્રેસના ઉમેદવારો 15 બેઠકો પર જીત્યા, જ્યારે એક બેઠક તાજેતરમાં રચાયેલી ભારત આદિવાસી પાર્ટીને ગઈ.
આનો અર્થ એ છે કે સમાજવાદી પાર્ટી 71 બેઠકોમાંથી એક પણ બેઠક જીતી શકી નથી. આ 71 સીટો પર સમાજવાદી પાર્ટીને કુલ વોટ શેર માત્ર 0.46 ટકા મળ્યો છે, જે એક ટકાથી ઓછો છે.
હવે સવાલ એ છે કે જો સપા-કોંગ્રેસ સાથે લડ્યા હોત તો શું થાત? આ 71 બેઠકો પર વિવિધ પક્ષોને મળેલા મતો પર નજીકથી નજર કરીએ તો તે સ્પષ્ટ થાય છે કે સમાજવાદી પાર્ટીનું પ્રદર્શન ખૂબ જ નબળું હતું અને તે કોંગ્રેસની વોટબેંકમાં કોઈ નોંધપાત્ર ઘટાડો કરી શક્યુ નથી.
બીજેપીએ જીતેલી 55 બેઠકોમાંથી માત્ર 5 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને મળેલા મતો ઉમેરવામાં આવે તો તેમને ભાજપ કરતા વધુ મત મળે છે.
સમાજવાદી પાર્ટીને માત્ર 16 સીટો પર એક ટકાથી વધુ વોટ શેર મળ્યા, જ્યારે 7 સીટો એવી હતી જ્યાં તેને 5 ટકાથી વધુ વોટ મળ્યા. એક નિવારી વિધાનસભા સીટ સિવાય સમાજવાદી પાર્ટીના કોઈ ઉમેદવાર પોતાની ડિપોઝીટ બચાવી શક્યા નથી.
આ સ્થિતીમાં એ સ્પષ્ટ છે કે જો સપા અને કોંગ્રેસ સાથે મળીને લડ્યા હોત તો પણ રાજ્યની 230માંથી 163 બેઠકો જીતનાર બીજેપી પર તેની બહુ અસર ન થઈ હોત.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
