‘ઈશ્વર હોય તો કોરોનાને ખતમ કેમ નથી કરી દેતા', માર્કંડેય કાત્જુના ટ્વિટ પર ધમાલ
સુપ્રિમ કોર્ટના રિટાયર્ડ જજ માર્કંડેય કાત્જૂએ એક એવી વાત કહી છે જેનાથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.
દુનિયાભરમાં કોરોના વાયરસ(કોવિડ-19)નો કહેર વર્તાઈ રહ્યો છે. ભારત સહિત દુનિયાના લગભગ દરેક દેશમાં આ વાયરસથી સંક્રમિત થનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દુનિયાભરમાં એક લાખથી વધુ લોકોના આનાથી મોત થઈ ગયા છે જ્યારે 18 લાખથી વધુ લોકો સંક્રમિત છે. આ દરમિયાન સુપ્રિમ કોર્ટના રિટાયર્ડ જજ માર્કંડેય કાત્જૂએ એક એવી વાત કહી છે જેનાથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. કાત્જુ જ્યારે સુપ્રીમ કોર્ટમાં હતા ત્યારે પોતાના ચુકાદાઓ માટે ફેમસ હતા. રિટાયર થયા બાદ હવે પોતાના નિવેદનો માટે ફેમસ છે.

લોકો આપી રહ્યા છે જોરદાર પ્રતિક્રિયા
માર્કંડેય કાત્જુએ સોમવારે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી એક ટ્વિટ કર્યુ. જેમાં તેમણે કહ્યુ, ‘ઈશ્વર જો હોય તો કોરોનાને ખતમ કેમ નથી કરી દેતા.' કાત્જૂના આ ટ્વિટ પર લોકો જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભારતીય નામના યુઝરે કહ્યુ, ‘ગૉડ ખુદ માસ્ક પહેરીને સેનિટાઈઝરનુ ડ્રમ લઈને આઈસોલેશનમાં ચાલ્યા ગયા.' જ્યારે લોકેશ નામના વ્યક્તિએ કહ્યુ, ‘જો અલ્લાહ હોય તો કોરોનાને ખતમ કેમ નથી કરી દેતા. પાંચ વાર નમાઝ પઢવાનો શું ફાયદો? તબલીગી વધુ સહન કરી રહ્યા છે.'

એક યુઝરે કહ્યુ - આ માણસોના પાપોની સજા છે
તમને જણાવી દઈએ કે આ ટ્વિટનો અર્થ બંને સમાજના લોકો એકબીજા સાથે જોડાયેલો માની રહ્યા છે. જ્યારે અમુક લોકો કહી રહ્યા છે કે તેમણે (માર્કંડેય કાત્જુ) કોઈ એક ધર્મનુ નામ નથી લીધુ. રાજ નામના યુઝરે કહ્યુ, ‘આ માણસોના પાપોની સજા આપી રહ્યા છે ભગવાન. જેથી તેમને અકલ આવે અને ચામાચીડિયા ખાવાનુ છોડી દે.' ગગન નામના એક યુઝરે કહ્યુ, ‘જો ન્યાયાધીશ છો તો ગુનાઓને મિટાવી કેમ નથી દેતા.'
|
એક યુઝરે કહ્યુ - જે ખાશો એ બધુ અહીં જ છોડવુ પડશે
પીયુષ નામના યુઝરે ગીતાનો હવાલો આપીને કહ્યુ, ‘જ્યારે જ્યારે અત્યાચાર વધશે હું કોઈને કોઈ સ્વરૂપે જન્મ લઈને અધર્મનો વિનાશ કરીશ.' વીબી મિશ્રાએ કહ્યુ, ‘જમીનદારો, નેતા, વેપારી, બધા લોકોની જેમ, ત્યાંથી કાપવાનુ પસંદ કરે છે જ્યાં તેમણે ક્યારેય વાવ્યુ નથી.' અરુણ કહ્યુ, ‘કર્મોકા ફલ પડેગા ભોગના, જો ખાયે હો સબ યહીં પડેગા છોડના.'
|
‘માનવીમાં શોધશો તો ભગવાન મળી જશે'
મંગેશ નામના યુઝરે કહ્યુ, ‘માનવમાં શોધશો તો ભગવાન મળી જશે...એ જ કામમાં આવી રહ્યા છે.' સાજદે કહ્યુ, ‘કુદરતનો કહેર હતો... દરેક વ્યક્તિ ખુદને ખુદા સમજવા લાગ્યો હતો.' તમને જણાવી દઈએ કે માર્કંડેય કાત્જૂના આ ટવિટ પર લોકો જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ટ્વિટને અત્યાર સુધીમાં 1.3 હજાર લોકોએ લાઈક કર્યુ છે. 240 લોકોએ આને રિટ્વિટ કર્યુ છે જ્યારે 500થી વધુ લોકોએ આના પર કમેન્ટ કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
