IASએ પોતાનું પરિણામ શેર કરી કહ્યુ, સીરિયસલી ના લો નંબર ગેમ, 10મામાં મને મળ્યા હતા 44.5%
છત્તીસગઢના એક આઈએએસ અધિકારી અવનીશ શરણે ફેસબુક પર પોતાનુ 10માં અને 12માં ધોરણનું પરિણામ શેર કર્યુ.
10માં અને 12માં ધોરણની પરીક્ષામાં દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસે છે. આ તેમના જીવનનો એ પડાવ છે જ્યારે દરેક તેમને એક જ વાત કહે છે કે - અહીં માર્ક્સ બગડ્યા તો બધુ બગડ્યુ સમજો. આ જ કારણ છે કે ઘણી વાર આ પરીક્ષાઓમાં ઓછા ગુણ આવવાથી ગભરાયેલા વિદ્યાર્થીઓ આત્મહત્યા સુધીનો નિર્ણય લઈ લે છે. હાલમાં જ છત્તીસગઢ બોર્ડના 10માં ધોરણના પરિણામો જાહેર થયા હતા. અહીં ઓછા ગુણ આવવાના કારણે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી.

IAS અધિકારીએ શેર કર્યુ પોતાનુ પરિણામ તો ચોંકી ગયા લોકો
ઘટનાની માહિતી મળવા પર આ પ્રકારના બાળકોને પ્રોત્સાહન આપવા માટે છત્તીસગઢના એક આઈએએસ અધિકારી અવનીશ શરણે ફેસબુક પર પોતાનુ 10માં અને 12માં ધોરણનું પરિણામ શેર કર્યુ અને આવા બાળકો અને માતાપિતા માટે એક લાંબી પોસ્ટ લખી. આઈએએસ અધિકારી અવનીશ શરણનું પરિણામ જોઈને લોકો જાણે ચોંકી ગયા.

10મામાં 44.5% જ્યારે 12મામાં 65%એ પાસ થયા હતા અવનીશ
સામાન્ય રીતે લોકોને લાગે છે કે આજે કોઈ અધિકારીના પદ પર તૈનાત થઈને મોટુ સ્થાન મેળવનાર લોકો બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર હોય છે. એવામાં અધિકારી શરણનું પરિણામ જોઈને લોકો ચોંકી ગયા. વાસ્તવમાં ફેસબુક પોસ્ટ અનુસાર શરણે 10માં ધોરણમાં 44.5% જ્યારે 12માં ધોરણમાં 65% ગુણ મેળવ્યા હતા. આ સાથે જ ગ્રેજ્યુએશનમાં તેમણે 60.7% ગુણ મેળવ્યા છે. આ ઓછા ગુણ છતાં આજે તે મોટા અધિકારી છે.

શરણે કહ્યુ - આ નંબર ગેમ છે, પરિણામને સીરિયસલી ના લો
પોતાના પરિણામ સાથે શરણે એક પોસ્ટમાં લખ્યુ કે - સીજી બોર્ડની પરીક્ષાના પરિણામ કાલે જાહેર કરવામાં આવ્યા. ગયા અઠવાડિયે સીબીએસઈ અને આઈસીએસઈ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. આજે મે છાપામાં એક ચોંકવનારા સમાચાર વાંતચ્યા કે પરીક્ષામાં ઓછા ગુણ આવવાના કારણે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. હું બધા વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાને અપીલ કરુ છુ કે તે પરિણામને ગંભીરતાથી ના લે. આ એક નંબર ગેમ છે. તમને તમારુ કેલિબર સાબિત કરવા માટે ઘણા બીજા મોકા મળશે. આગળ વધતા રહો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
