વિપક્ષની એકતાની કોશિશો વચ્ચે કોંગ્રેસ-સીપીએમ પર મમતાએ કર્યો હુમલો, કહ્યું- આ સંગઠનને તોડી દઇશ
ગયા અઠવાડિયે જ પટનામાં ભાજપ વિરુદ્ધ વિપક્ષી દળોની એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સુત્રધારની ભૂમિકા ભજવી હતી. પરંતુ, વિપક્ષી એકતાની ભવ્ય બેઠકના ત્રણ દિવસ પછી, ટીએમસી સુપ્રીમોએ કોંગ્રેસ અને સીપીએમ પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો છે.
મમતા બેનર્જીએ રાજ્યમાં સીપીએમ અને કોંગ્રેસની ભૂમિકાની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે તે કેન્દ્રમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓનું મહાગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ, રાજ્યમાં તેમની ભગવા વિરોધી છાવણીની હરકતો તેમના પ્રયત્નોમાં અવરોધ ઉભી કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગયા શુક્રવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની આગેવાનીમાં એક ડઝનથી વધુ વિપક્ષી દળો અને લગભગ 32 વિપક્ષી નેતાઓની બેઠક બાદ, 2024ની લોકસભાની ચૂંટણી ભાજપ સામે એક થઈને લડવાની જાહેરાત કરવામાં આવી હતી.
દિલ્હી પર કેન્દ્રના વટહુકમ સામે કોંગ્રેસ સાથે મતભેદ હોવા છતાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. માહિતી અનુસાર, તે બેઠકમાં બેનર્જીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને વચ્ચે બેસીને વિવાદ ઉકેલવાની સલાહ પણ આપી હતી.
TMC સુપ્રીમો પંચાયત ચૂંટણી માટે રેલી કરવા પશ્ચિમ બંગાળના કૂચ બિહાર પહોંચ્યા, ત્યારે કોંગ્રેસ અને CPIM પ્રત્યે તેમનું વલણ બદલાઈ ગયું હતું. તૃણમૂલ પ્રમુખે રેલીમાં કહ્યું, 'અમે કેન્દ્રમાં ભાજપ વિરુદ્ધ મહાજોત (મહાગઠબંધન) બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ, સીપીએમ અને કોંગ્રેસ બંગાળમાં ભાજપ સાથે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બંગાળના સીએમ બેનર્જીએ ચેતવણી આપી હતી કે, 'હું બંગાળમાં આ નાપાક સાંઠગાંઠ તોડી નાખીશ.' છેલ્લા 10 દિવસમાં આ બીજી વખત છે જ્યારે મમતા બેનર્જીએ કોંગ્રેસ અને સીપીએમ પર ભાજપ સાથે મૌન સમજણનો આરોપ લગાવતા નિશાન સાધ્યું છે.
કોંગ્રેસના આરોપો સાથે સહમત થતા CPM એ પણ કહ્યું છે કે 'આટલા વર્ષોમાં TMCએ ભાજપ સામેની લડાઈમાં શું ભૂમિકા ભજવી છે તે આપણે બધા જાણીએ છીએ. પાર્ટીએ કહ્યું છે કે ભાજપ સામે કેવી રીતે લડવું તે અંગે કોંગ્રેસ અને સામ્યવાદીઓને લેક્ચર આપનાર તેઓ છેલ્લા વ્યક્તિ હોવા જોઈએ.
ભાજપે બંગાળમાં સીપીએમ અને કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારની સમજૂતીના આરોપોને ફગાવ્યા છે. બીજેપી નેતા રાહુલ સિન્હાએ કહ્યું, 'CPM, કોંગ્રેસ અને TMC એક જ હોડીમાં છે. ભાજપ જ રાજ્ય સરકારની જનવિરોધી નીતિઓ સામે લડી રહ્યું છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ








Click it and Unblock the Notifications
