એર હૉટેસ્ટ મૃત્યુ કેસ: હનીમૂન પર અનિશયા સાથે મયંકે મારપીટ કરી
રાજધાની દિલ્હીના હૌજખાસ વિસ્તારમાં લુફથાન્સા એરલાઈન્સમાં કામ 39 વર્ષની એર હૉટેસ્ટ અનિશયા બત્રા મૃત્યુ કેસમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમાં નવી નવી બાબતો સામે આવી રહી છે.
રાજધાની દિલ્હીના હૌજખાસ વિસ્તારમાં લુફથાન્સા એરલાઈન્સમાં કામ 39 વર્ષની એર હૉટેસ્ટ અનિશયા બત્રા મૃત્યુ કેસમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમાં નવી નવી બાબતો સામે આવી રહી છે. જાંચમાં જાણવા મળ્યું છે કે મૃત્યુ પહેલા અનિશયા ઘ્વારા પતિ મયંક અને તેના એક મિત્રને મેસેજ મોકલવામાં આવ્યો હતો. પતિને મોકલેલા છેલ્લા મેસેજમાં તેને કહ્યું હતું કે 'તુમ મુજે બિલ્ડીંગ સે કૂદતે હુએ દેખોગે'. આ મેસેજના આધારે પોલીસ તપાસ કરી રહી છે. બીજી બાજુ, મયંકને ન્યાયિક કસ્ટડીમાં 14 દિવસ માટે મોકલવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર અનિશયાના મિત્રોની પણ પુછપરછ થઇ શકે છે. જયારે બીજી બાજુ અનિશયાની માતા ઘ્વારા એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. પોલીસને આપેલા નિવેદનમાં અનિશયાની માતા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે લગ્નના ત્રીજા દિવસે જ તેમની દીકરીએ ફોન કરીને તેમને મારપીટ વિશે જણાવ્યું હતું.

અનિશયા અને મયંક હનીમૂન પર દુબઇ ગયા હતા
અનિશયાની માતા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે હનીમૂન પર પણ પતિ મયંકે અનિશયા સાથે મારપીટ કરી હતી. બંને લગ્નના બીજા જ દિવસે હનીમૂન માટે દુબઇ ગયા હતા. ત્યારપછી અમે તેમને કાઉન્સિલિંગ પણ કરી હતી. ત્યારપછી થોડા દિવસ માટે બધું ઠીક થઇ ગયું. લગભગ દર અઠવાડિયે અનિશયા સાથે તેનો પતિ મારપીટ કરતો હતો. અનિશયાના પરિવાર અને મિત્રોનું કહેવું છે કે તે ઘરેલુ હિંસાની શિકાર હતી અને તેને દહેજ માટે પરેશાન કરવામાં આવતી હતી.

મયંકને કર્યો હતો મેસેજ
પોલીસે જણાવ્યું કે શુક્રવારે મયંકનો અનિશયા સાથે સાંજે ચાર વાગ્યાની આસપાસ ઝગડો થયો. અનિશયાએ મયંકને મેસેજ કર્યો કે તે ધાબા પરથી કૂદી રહી છે. મયંક ધાબા પર પહોંચ્યો તો દરવાજો બહારથી બંધ હતો. તે જાળી તોડીને ધાબા પર ગયો ત્યારે તેને જોયું તો અનિશયા ત્યાં ના હતી. નજીક બિલ્ડિંગમાં કામ કરી રહેલા મજૂરોએ કહ્યું કે એક યુવતી હમણાં જ કૂદી છે.

ફ્લેટ અંગે પણ વિવાદ થતો હતો
અનિશયાએ વસંત વિહારમાં ફ્લેટ વેચ્યો હતો તેના વિશે પણ વિવાદ ચાલતો હતો. પોલીસે મયંક અને તેના માતાપિતાને પણ જાંચમાં શામિલ થવા માટે કહ્યું છે. મયંકની બીએમડબ્લ્યુ કાર, અનિશયાની હીરાની વીંટી અને મોબાઈલ ફોન કબ્જામાં લેવામાં આવ્યા છે. આ બધું સગાઈમાં મયંકને અનિશયાના પરિવાર ઘ્વારા આપવામાં આવ્યું હતું.

આઇપીસી ઘ્વારા 304 બી હેઠળ મામલો નોંધવામાં આવ્યો
આ મામલે ડીસીપી રોમીન બાનિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીડિતના પરિવારની ફરિયાદ પર આઇપીસી ઘ્વારા 304 બી હેઠળ એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. આ બંનેના લગ્ન થયે બે વર્ષ કરતા થોડો વધારે સમય થયો હતો. પોલીસ એક મજુરની પણ પૂછપરછ કરી રહી છે જેને આ ઘટના જોયાનો દાવો કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
