કોરોનાના ઈલાજમાં રેમડેસિવિર કેટલી અસરકારક? AIIMSના ડાયરેક્ટરે ખુલાસો કર્યો
કોરોનાના ઈલાજમાં રેમડેસિવિર કેટલી અસરકારક? AIIMSના ડાયરેક્ટરે ખુલાસો કર્યો
દેશમાં કોરોનાની બીજી લહેરે કહેર મચાવી રાખ્યો છે. દેશમાં સતત એક અઠવાડિયાથી દરરોજ 2 લાખથી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ અત્યારના હાલાતને લઈ મહત્વની વાત કહી છે. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોના મેનેજમેન્ટ માટે 2 વસ્તુ મહત્વપૂર્ણ છે- દવા અને દવા આપવાનું ટાઈમિંગ. જો તમે આ દવા જલદી અથવા મોડી આપો છો તો તેનાથી નુકસાન થશે.

વધુમાં તેમણે કહ્યું કે, વેક્સીનનો ડોઝ વધુ માત્રામાં આપવાથી દર્દી મરી શકે છે. રિકવરી ટ્રાયલથી માલૂમ પડ્યું કે કોરોના દર્દીને સ્ટીરૉયડ્સ આપવાથી ફાયદો થાય છે. ઑક્સીજન ઘટતાં પહેલાં આ મેડિસિન આપવા પર તેનું નુકસાન થાય છે. સ્ટીયરૉયડ્સ લેતા કોરોના દર્દીનો મૃત્યુદર વધુ છે.
કોરોનાના ઈલાજમાં અમુક હદે જ કારગર મનાતી રેમડેસિવિરને લઈ એમ્સના ડાયરેક્ટરે કહ્યું કે, 'રેમડેસિવિર કોઈ જાદુઈ ગોળી નથી અને એવી દવા પણ નથી જેનાથી કોરોનાથી મરતા દર્દીઓમાં ઘટાડો આવશે તે સમજવું બહુ જરૂરી છે. અમારી પાસે એન્ટી વાયરલ દવાઓ ના હોવાથી રામડેસિવિરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. કોરોનાના લક્ષણો ના દેખાતા હોય અથવા હળવા લક્ષણોવાળા દર્દીઓને આ દવા જલદી આપવાથી કોઈ ફાયદો થતો નથી. આવી રીતે જો રેમડેસિવિર મેડિસિન મોડી આપવામાં આવે તો પણ તેનો કોઈ મતલબ નથી રહેતો.'
પ્લાઝ્મા થેરેપી સાથે જોડાયેલા સવાલો પર ડૉ રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, 'અધ્યયન જણાવે છે કે કોરોનાના ઈલાજમાં પ્લાઝ્મા થેરેપીની ભૂમિકા એક હદ સુધી જ છે. કોરોનાના બે ટકાથી પણ ઓછા દર્દીઓમાં tocilizumabની જરૂરત હોય છે, જેનો હાલ ઘણી માત્રામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હળવા અને લક્ષણ વિનાના મોટાભાગના કોરોના દર્દીઓની હાલાતમાં સામાન્ય ઈલાજથી ઘણો સુધારો થઈ રહ્યો છે.'
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
