સરકારને નથી ખબર કે કેવી રીતે થયું ડૉ. આંબેડકરનું નિધન

આરટીઆઇ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીમાં કેન્દ્રના બે મંત્રાલય અને આંબેડકર પ્રતિષ્ઠાને પોતાની પાસે આંબેડકરના નિધન સંબંધિત જાણકારી હોવનો ઇન્કાર કર્યો છે. એક મંત્રાલયના જનસૂચના અધિકારીએ એમ પણ કહ્યું કે તેમને એ વાતની પણ જાણકારી નથી કે માંગવામાં આવેલી માહિતી કયા વિભાગને સંબંધિત છે.
આરટીઆઇ કાર્યકર્તા આર એચ બંસલે પણ રાષ્ટ્રપતિ સચિવાલયમાં અરજી દાખલ કરીને પૂછ્યું કે ડૉ. ભીમરાવ આંબેડકરનું નિધન ક્યાં અને કેવી રીતે થયું? તેમણે એમપણ પૂછ્યું કે શું નિધન બાદ તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હોય તો તેની એક કોપીની માંગણી પણ કરી હતી.
અરજીમાં એમ પણ પૂછવામાં આવ્યું હતું કે બંધારણના ઘડવૈયાની નિધન કુદરતી હતું કે પછી હત્યા. તેમનું નિધન કઇ તારીખે થયું હતું. કોઇ આયોગ કે સમિતિએ તેમના નિધનની તપાસ કરી હતી?
રાષ્ટ્રપતિ સચિવાલયે આ અરજી ગૃહમંત્રાલય પાસે મોકલી આપી હતી, જેમાં ગૃહ મંત્રાલય દ્વારા અરજદારને જણાવવામાં આવ્યું કે, ડૉ. આંબેડકરના નિધન સંબંધિત કોઇપણ પ્રકારની માહિતી મંત્રાલયના કોઇપણ વિભાગ પાસે ઉપલબ્ધ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
